દેવ ઉઠી એકાદશી બાદથી લગ્નની સીઝન સરુ થઈ ગઈ છે. ભારતમાં એકમાત્ર એક દેશ છે. જ્યાં લગ્ન પણ એક તહેવારની જેમ હોય છે. કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે લગ્ન પર અનેક પ્રતિબંધ લાદ્યા છે. ગાઈડલાઈન અનુસાર લગ્ન પ્રસંગમાં વધુમાં વધુ 200 લોકો જ ભાગ લઈ શકે છે. રાજ્ય સરકારો મહેમાનોની સંખ્યાનો હિસાબથી 100થી વધારે અથવા તેનાથી ઓછી પણ કરી શકે છે. દિલ્હી સરકારે કોરોનાને લીધે લગ્નમાં આવનારા મહેમાનોની સંખ્યા 50 કરી નાંખી છે. આ મહેમાનો ઉપરાંત ફોટોગ્રાફર, વીડિયોગ્રાફરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફક્ત કેટરિંગ કરનારાઓની ગણતરી 100માં કરવામાં આવી નથી.
મેરઠમાં દાખલ થઈ પહેલી એફઆઈઆર
આયોજન કર્તા પર 25 હજાર રુપિયાનો દંડ લાગશે
મહામારી અધિનિયમના ભંગ કરવા તથા માનવ જીવનને સંકટમાં મુકવા હેઠળ કેસ ચલાવી શકાય
લગ્નમાં મહેમાનોની સંખ્યા પર નજર રાખવા માટે અલગ અલગ શહેરોમાં ટીમો તૈયાર કરવામાં આવી છે. લગ્નમાં 100થી વધારે વ્યક્તિઓ જોવા મળ્યા તો આયોજન કર્તા પર 25 હજાર રુપિયાનો દંડ લાગશે. આ ઉપરાંત મહામારી અધિનિયમના ભંગ કરવા તથા માનવ જીવનને સંકટમાં મુકવા હેઠળ એફઆઈઆર દાખલ કરીને કેસ ચલાવી શકાય છે. આ સંબંધમાં તમામ મેજિસ્ટ્રેટ અને ક્ષેત્રના અધિકારીઓને જરુરી નિર્દેશો જારી કરી દીધા છે.
મેરઠમાં દાખલ થઈ પહેલી એફઆઈઆર
ઉત્તર પ્રદેશના મેરઠમાં લગ્ન સમારોહ દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવવું પરિવારજનોને ભારે પડ્યું છે. અહીં વર વધૂના પિતાની સાથે ગેસ્ટ હાઉસના માલિકની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એએસપી કેન્ટ ઈર્જ રાજાનું કહેવું છે રે લગ્ન સમારોહ દરમિયાન બેન્ડ વગેરે મળીને 100થી વધારે સંખ્યા ન થવી જોઈએ પરંતુ અહીં 300થી 350 લોકો જોવા મળ્યા હતા. જેથી આ કાર્યવાહી કરવામાં આવી છે. લગ્નમાં સેનેટાઈઝરની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોંતી, પોલીસે સ્થળ પર પહોંચી તેનો વીડિયો બનાવ્યો તથા ઓફિસરોને માહિતી આપી હતી. આ માહિતીના આધારે 3 લોકો પર કેસ દાખલ કરવામા આવ્યો છે.
લગ્ન પ્રસંગમાં આ નિયમોનું પાલન કરવું જરુરી
સમારોહ સ્થળ પર 100થી વધારે લોકો ન હોવા જોઈએ
ગેટ પર થર્મલ સ્કેનિંગથી આવનારા લોકોનું તાપમાન માપવાનું રહેશે, 100થી વધારે તાપમાનવાળા લોકોને એન્ટ્રી નહીં
ગેટ પર સેનેટાઈઝર તથા હેન્ડવોર્શની વ્યવસ્થા કરવાની રહેશે
સમારોહ સ્થળ પર કુર્સિઓને સેનેટાઈઝ કરવાની રહેશે
સમગ્ર સમારોહની વીડિયોગ્રાફી કરાવવાની રહેશે
પ્રસંગમાં માસ્ક ફરજિયાત
પ્રસંગમાં સ્થળ પર ઓછામાં ઓછા 200 લોકોની જગ્યા હોવી જોઈએ જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી શકાય