લખનઉના હજરતગંજ પોલિસ સ્ટેશનમાં શાયર મુનવ્વર રાણા વિરુદ્ધ એફઆઇઆર નોંધાવામાં આવી છે. આ ફરિયાદ મુનવ્વર રાણાના એક નિવેદનને લઇને કરવામાં આવી છે. એક કાર્ટુનને લઇને શાયરના મત મુજબ ફ્રાન્સમાં થયેલી હત્યા યોગ્ય હતી.
મુનવ્વર રાણા વિરુદ્ધ ફરિયાદ
ફ્રાન્સની ઘટનાને ગણાવી સાચી
પોલિસના જણાવ્યા અનુસાર મુનવ્વર રાણા દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં સામાજીક સંવાદિતાને હાનિ પહોંચાડવા માટે પર્યાપ્ત છે, માટે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
શાયર રાણા વિરુદ્ધની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે, ફ્રાન્સમાં કાર્ટુન વિવાદ પર હત્યાઓને યોગ્ય કહેવામાં આવ્યુ છે જે સમાજને પર્યાપ્ત હાનિ પહોંચાડી શકે છે. આ નિવેદનથી શાંતિ ભંગ થવાની પણ આશંકા છે. પોલિસે મુનવ્વર રાણા વિરુદ્ધ આઇપીસીની ધારા 153એ, 295એ, 298, 505 સહિત અન્ય ધારાઓ લગાવવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે, મુન્નવર રાણાએ ફ્રાન્સમાં બેગુનાહ લોકોના કત્લ કરવાવાળા લોકોનો બચાવ કર્યો હતો. તેમણે તર્ક આપતા કહ્યું હતું કે ધર્મ માતા જેવો હોય છે, જો કોઇ તમારી માતા કે ધર્મનું કાર્ટુન બનાવે કે ગાળ દે તો તમનેગુસ્સો આવવાનો જ છે. તેમણે કહ્યું કે મુસલમાનોને ચિડવવા માટે આવુ કાર્ટુન બનાવવામાં આવ્યું હતુ.