ગંગામાં તરતી લાશોનો વીડિયો શેર કરના્ર પૂર્વ આઈએએસ અધિકારી એસપી સિંહ પર યુપી પોલીસે ફરિયાદ દાખલ કરી છે.
પૂર્વ IAS એસપી સિંહે ગંગામાં તરતી લાશોનો વીડિયો શેર કર્યો હતો
યુપી પોલીસે લોકભાવના ભડકાવાના આરોપસર ફરિયાદ દાખલ કરી
પૂર્વ આઈએએસ બોલ્યાં, તમે આંકડા છુપાવી શકશો, લાશો કેવી રીતે છુપાવી શકશો
યુપી પોલીસે રિટાયર્ડ આઈએએસ એસપી સિંહ પર લોકભાવનાને ભડકાવવાનો આરોપ મૂક્યો છે.
એસપી સિંહે તાજેતરમાં ગંગા નદીમાં તરતી લાશોનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યું હતું કે આ હિંદુઓને માથે કલંક સમાન છે.
ये अत्यंत दुखद है की आदित्यनाथ जी की सरकार कोरोना से लड़ने के बजाय सच उजागर करने वाले एक ईमानदार पूर्व IAS अधिकारी @suryapsingh_IAS से लड़ रही है उन देश द्रोह का मुक़दमा करना अन्यायपूर्ण है इस लड़ाई में हम सब उनके साथ हैं। https://t.co/5WxhFuPYEP
એસપી સિંહે બીજો પણ એક વીડિયો શેર કર્યો તેમાં તેમણે કોરોનાની સ્થિતિ અંગ ચિંતા વ્યક્ત કરી છે. સિંહે આ વીડિયોમાં કહ્યું કે જે લોકો સત્ય દેખાડી રહ્યાં છે તેમની સામે યુપી પોલીસ ફરિયાદ દાખલ કરી રહી છે. મારી સામે પણ 1 એફઆઈઆર દાખલ કરાઈ છે. એક બનારસમાં જેમાં મેં કોરોનાના દર્દીની લાશો નાળામાં ફેંકવા અંગે જણાવ્યું હતું. બીજી તસવીર બલિયાની છે જ્યાં ગંગામાં 67 લાશો તરી રહી છે.
સરકાર આંકડા છુપાવી શકે પણ લાશોના ઢગલા કેવી રીતે છુપાવી શકે-આઈએએસ અધિકારીનો સવાલ
નિવૃત અધિકારીએ જણાવ્યું કે તમે જણાવો કે શું આ સત્ય નથી કે ગંગામાં હજારો લાશો તરી રહી છે. પછી તે બલિયા હોય, ગાઝિપુર હોય,રાયબરેલી, ઉન્નાવ, કાનપુર દરેક જગ્યાએ લાશો તરી રહી છે. ઘાટોમાં લાશોને દફન કરાઈ રહી છે. લોકો ગરીબીને કારણે અંતિમ સંસ્કાર કરી રહ્યાં નથી અને તમે તેને છુપાવવા માંગો છો. તમે આંકડા છુપાવી શકો છો પરંતુ લાશોના ઢગલા કેવી રીતે છુપાવી શકશો.
1100 કિમીના વિસ્તારમાં 2,000 કરતા પણ વધારે લાશો દફનાવાઈ
મીડિયા રિપોર્ટ અનુસાર ગંગા કિનારે આવેલા કન્નોજ, ઉન્નાવ,કાનપુર,રાયબરેલી, પ્રયાગરાજના 1100 કિમીના વિસ્તારમાં 2,000 કરતા પણ વધારે લાશો દફનાવાઈ છે.
લાશોની દફનવિધિ બાદ તેની ચારેબાજુએ વાંસની લાકડીઓ રોપી દેવાઈ છે જેથી કરીને કોઈને પણ ખબર પડે કે અહીં લાશોની દફનવિધિ કરાઈ છે.
કન્નોજ છે દફન છે 350 કરતા પણ વધારે લાશો
કન્નોજના મહાદેવી ગંગા ઘાટ નજીક લગભગ 350 લાશો દફન છે. પ્રશાસન દ્વારા લાશો પર માટી નાખવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ તમામ લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હશે. ઘાટ પર કાર્યરત એક કર્મચારીએ જણાવ્યું કે ગંગામાં પૂર આવતા દફનાવાયેલી લાશો બહાર આવી જાય છે. અને અહીંથી બીજા જિલ્લામાં તણાઈ જાય છે.
કાનપુરમાં 400 લાશો
યુપીના મોટા શહેર કાનપુરના શેરેશ્વર ઘાટ નજીક 400 લાશો દફન છે. કેટલાક લાશોને તો કાગડા-કૂતરા ચુંથી રહ્યાં હોવાનું પણ જણાયું હતું. ઘટનાની જાણ થતા પોલીસે દરેક લાશ પર માટી નાખવાનું શરુ કરી દીધું હતું.
ઉન્નાવની રેતમાં દફન છે 900 કરતા પણ વધારે લાશો
કોરોનાકાળનું સૌથી મોટું કબ્રસ્તાન ઉન્નાવ શહેર બન્યું છે. ઉન્નાવના શુક્લાગંજ ઘાટ અને બક્સર ઘાટ નજીક 900 કરતા પણ વધારે લાશો દફન છે. ઉન્નાવ નજીકના ફતેહપુરમાં પણ ગંગા કિનારે 20 લાશ દફનાવાઈ હોવાનું જણાયું હતું.