આરએસએસની વિરુદ્ધમાં કથિત ટીપ્પણી કરવાના આરોપમા મુંબઈ પોલીસે બોલીવુડના પ્રસિદ્ધ ગીતકાર જાવેદ અખ્તરની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆર સ્થાનિક વકીલ સંતોષ દુબેની ફરિયાદના આધારે નોંધવામાં આવી છે. જાવેદ અખ્તરે આરએસએસની તુલના તાલિબાન સાથે કરી છે.
જાહેર સભા અને સોશિયલ મીડિયામાં બોલીવુડ ગીતકાર જાવેદ અખ્તર ખૂબ સક્રિય રહે છે. આ સિવાય તેઓ પોતે પોતાની નિવેદનબાજીને લઇ ખૂબ વિવાદમાં રહે છે. આ વખતે પણ તેમનું નિવેદન તેમના માટે ફાંસીનો ફંદો બની ગયુ છે. આરએસએસની તુલના તાલિબાન સાથે કરતા મુંબઈ પોલીસે જાવેદ અખ્તર વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.
વકીલની ફરિયાદના આધારે નોંધાઈ FIR
એએનઆઈને આપેલા એક નિવેદનમાં પોલીસ અધિકારીએ કહ્યું, સ્થાનિક વકીલ સંતોષ દુબેની ફરિયાદના આધારે મુલંદ પોલીસ સ્ટેશનમાં જાવેદ અખ્તરની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. અધિકારીના જણાવ્યાં મુજબ, ઈન્ડિયન પીનલ કોડની કલમ 500 (માનહાનિ માટે) હેઠળ એફઆઈઆર નોંધાઈ છે.