આચાર સંહિતાના ઉલ્લંઘનના કેસમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને જયંત ચૌધરી સહિત 400 કાર્યકર્તાઓ વિરુદ્ધ દાદરીમાં FIR નોંધવામાં આવી છે.
આચાર સંહિતાના ઉલ્લંઘનના કેસમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને જયંત ચૌધરી સહિત 400 કાર્યકર્તાઓ વિરુદ્ધ દાદરીમાં FIR નોંધવામાં આવી છે. આ મામલો 3 ફેબ્રુઆરીનો છે. દાદરીમાં એક ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન સપા પ્રમુખ અખિલેશ યાદવ અને ગઠબંધનના નેતા આરએલડી પ્રમુખ જયંત ચૌધરી પર કોરોના દિશાનિર્દેશો અને ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે તેમના પર FIR કરવામાં આવી છે.
ગૌતમબુદ્ધ નગર પોલીસ તરફથી નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે, નિયમો તોડવાના મામલામાં SP પ્રમુખ અખિલેશ યાદવ, RLD પ્રમુખ જયંત ચૌધરી, દાદરી સપાના ઉમેદવાર રાજકુમાર ભાટી, ગૌતમ બુદ્ધનગર સપા પ્રમુખ ઈંદ્ર પ્રધાનની સાથે 300-400 અન્ય લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
UP | A case filed against SP chief Akhilesh Yadav, RLD chief Jayant Chaudhary, SP's Dadri candidate Rajkumar Bhati, SP's Gautam Buddh Nagar chief Indra Pradhan& 300-400 others, for violating COVID19 & ECI's guidelines during a campaign in Dadri on Feb 3: Gautam Buddh Nagar Police
આચાર સંહિતા ઉલ્લંઘન મામલામાં અખિલેશ યાદવ અને જયંત ચૌધરી પર પોલીસે એફઆઈઆર નોંધાવી છે. આપને જણાવી દઈએ કે, ગુરૂવારે બંને નેતા પોતાની રથયાત્રામાં સવાર થઈને દાદરી પહોંચ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ભીડના કારણે કોરોના નિયમોની સાથે ચૂંટણી પંચની ગાઈડલાઈનના પણ ધજાગરા ઉડ્યા હતા. આ મામલે દાદરી પોલીસે ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી કરી રહ્યા છે.
કોરોના ગાઈડલાઈન તોડવાનો આરોપ
ગુરૂવારે અખિલેશ અને જયંત ચૌધરીનો કાફલો રાતે 10 કલાકે ટીએનટી પહોંચ્યો હતો. આ દરમિયાન કાર્યકર્તાઓની મોટી ભીડે કોરોનાની ગાઈડલાઈનની ધજ્જિયા ઉડાવી હતી. હકીકતમાં મહામારીના કારણે અહીં નાઈટ કર્ફ્યૂ લગાવેલું છે. સાથે જ નેતાઓ પર કલમ 144ના ઉલ્લંઘનનો પણ આરોપ લગાવ્યો છે. જિલ્લા પ્રશાસને ફક્ત રાતના 8 કલાક સુધીની મંજૂરી આપી હતી.