બ્લડ ક્લોટિંગના કેસમાં વેક્સીન લીધાના 4-10 દિવસમાં કેસ સામે આવ્યા છે. આ પહેલા પણ 12 દેશો Astrazenecaની વેક્સીન પર રોક લગાવી ચૂક્યા છે.
બ્લડ ક્લોટિંગની સમસ્યાને લઈને આવ્યા 2 નવા કેસ
ફિનલેન્ડમાં બૅન થઈ Astrazenecaની કોરોના વેક્સીન
આ પહેલા પણ 12 દેશો લગાવી ચૂક્યા છે ઉપયોગ પર બૅન
છેલ્લા કેટલાક સમયથી Astrazeneca ની વેક્સીનને લઈને પણ અનેક સવાલો સામે આવ્યા છે. અનેક દેશોનું કહેવું છે કે Astrazenecaની કોરોના વેક્સીન લીધા બાદ બ્લડ ક્લોટિંગની સમસ્યા સામે આવી રહી છે. આ સાથે ફિનલેન્ડે પણ આ વેક્સીન પર રોક લગાવી છે. અહીં વેક્સીન આપ્યા બાદ બ્લડ ક્લોટિંગના 2 કેસ સામે આવ્યા છે જેના કારણે વેક્સીન પર રોક લગાવવામાં આવી છે.
મીડિયા રિપોર્ટમાં સામે આવી છે આ વાત
મીડિયા રિપોર્ટનું માનીએ તો બ્લડ ક્લોટિંગના કેસ વેક્સીન લીધાના 4-10 દિવસમાં સામે આવે છે. આ પહેલા પણ અનેક દેશો જર્મની, ફ્રાન્સ, ઈટાલી, સ્પેન, આયરલેન્ડ, બુલ્ગારિયા, ડેનમાર્ક, નાર્વે, આઈસલેન્ડ પણ એસ્ટ્રાજેનેકાના ઉપયોગ પર બેન લગાવી ચૂક્યા છે. બ્રિટનની મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ રેગ્યુલેટરી એજન્સીએ કહ્યું કે 1.1 કરોડ બ્રિટિશ નાગરિકોને એસ્ટ્રાજેનેકાની વેક્સીન લાગી ચૂકી છે. તેમાથી 5 લોકોને સેરેબ્રલ સાઈનસ વીન થ્રોમબોસિસના લક્ષણ જોવા મળ્યા છે. આ કેસ પુરુષોમાં જોવા મળ્યા છે અને તેમની ઉંમર 19-59 વર્ષની વચ્ચે છે.
યૂરોપીય સંઘે વેક્સીનને ગણાવી સુરક્ષિત
કોરોના વાયરસની એસ્ટ્રાજેનેકા વેક્સીન પર દુનિયામાં સવાલો ઉઠી રહ્યા છે ત્યારે યૂરોપીય સંઘે તેને સુરક્ષિત ગણાવી છે. તેઓએ કહ્યું કે આ વેક્સીનથી લોહીના ગટ્ઠા જામવાનો કોઈ ખતરો નથી.
માર્ચ મહિનામાં જ આવી રહી છે આ સમસ્યા
કોરોના મહામારીના સંઘર્ષની વચ્ચે આશા બનીને સામે આવેલી ઓક્સફર્ડ- એસ્ટ્રાજેનેકાની વેક્સીનના ઉપયોગ પર માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં જ 12 દેશોએ પાબંધી લગાવી છે. જર્મની, ફ્રાન્સ, ઈટાલી અને સ્પેને પણ આ વેક્સીનના ઉપયોગ પર રોક લગાવી છે. આ સિવાય નીધરલેન્ડે પણ એસ્ટ્રાજેનેકાની વેક્સીન પર રોક લગાવી છે. વેક્સીન લગાવ્યા બાદ લોહીના ગટ્ઠા જામી જવાની ગંભીર ફરિયાદ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. ભારમાં પણ એસ્ટ્રાજેનેકાની વેક્સીન વેક્સીનેશન અભિયાનનો મોટો ભાગ છે. આ વેક્સીન સીરમ ઈન્સ્ટિટ્યૂટે બનાવી છે.
આ દેશો પણ લગાવી ચૂક્યા છે રોક
જર્મની, ફ્રાન્સ, ઈટાલી અને સ્પેને વેક્સીનના ઉપયોગ પર રોક લગાવી છે, આ પહેલાં જ આયરલેન્ડ, બુલ્ગારિયા, ડેનમાર્ક, નાર્વે, આઈસલેન્ડ પણ લોહીના ગટ્ઠા બનાવી જવાની ફરિયાદ સામે આવતા વેક્સીનના ઉપયોગ પર રોક લગાવી ચૂક્યા છે.
જાણો શું છે એસ્ટ્રાજેનેકાનો દાવો
એસ્ટ્રાજેનેકા કંપની અને યૂરોપીય નિયામકોનું કહેવું છે કે આવું કોઈ તથ્ય સામે આવ્યું નથી જે એમ કહે કે લોહીના ગટ્ઠા બનવાનું કારણ વેક્સીન છે. એસ્ટ્રાજેનેકાની તરફથી કહેવાયું છે કે યૂરોપીય સંઘ અને બ્રિટનમાં લગભગ 1.7 કરોડ લોકોએ આ વેક્સીન લગાવી છે અને સાથે આ સમૂહમાં લોહીના ગટ્ઠા જામવાના 37 કેસ સામે આવ્યા છે. સંઘની દવા નિયામક એજન્સીએ એસ્ટ્રાજેનેકાને વિશે એક્સપર્ટ્સના પરિણામોની સમીક્ષા કરવા માટે ગુરુવારે બેઠક બોલાવી છે.
શું છે ભારતમાં વેક્સીનને લઈને સ્થિતિ
એસ્ટ્રાજેનેકા- ઓક્સફર્ડનું ઉત્પાદન સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કર્યું છે અને ભારતમાં ચલાવવામાં આવી રહેલા વેક્સીનેશન અભિયાનનો ભાગ છે. આ અભિયાનના આધારે ભારતમાં કોવિશિલ્ડ ( એસ્ટ્રાજેનેકા- ઓક્સફર્ડ) અને કોવેક્સીન (ભારત બાયોટેક)ની વેક્સીન લગાવવામાં આવી રહી છે. કેટલાક યૂરોપીય દેશોમાં ફરિયાદ સામે આવ્યા બાદ ભારતે પણ આ વેક્સીનને લગાવ્યા બાદ સંભવિત સાઈડ ઈફેક્ટની તપાસ કરવાનો નિર્ણય લીધો છે. જો કે અત્યારસુધી ભારતમાં આવો કોઈ કેસ સામે આવ્યો નથી.
શું કહે છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ વૈજ્ઞાનિકની ભલામણના આધારે હજુ પણ કેટલાક લોકોમાં લોહીના ગટ્ઠાને લઈને ચિંતા હોવા છતાં આ વેક્સીનનો ઉપયોગ ચાલુ રાખી શકાય છે. ડો. સૌમ્યા સ્વામીનાથનનું કહેવું છે કે સંયુક્ત રાષ્ટ્ર સ્વાસ્થ્ય એજન્સીના અધિકારી લોકોને ડરાવવા ઈચ્છતા નથી. એટલું જ નહીં વેક્સીનના ઉપયોગની સાથે દેખરેખ પણ ચાલી રહી છે. સ્વામીનાથને કહ્યું કે દુનિયાભરના લોકોના અનેક પ્રકારના કોરોના વાયરસ વેક્સીનના કેટલીક 300 મિલિયન એટલે કે 30 કરોડ ડોઝ અપાયા છે અને કોરોના વેક્સીન સાથે જોડાયેલા કોઈ મોત નોંધાયા નથી.