સમુદ્ર શાસ્ત્રમાં આંગળીના આધારે લોકોના સ્વભાવ અંગે ચર્ચા કરવામાં આવી છે. જેમાં નાની આંગળી અને પાતળી આંગળીવાળા લોકોનો સ્વભાવ કેવો હોય છે, એ પણ જણાવવામાં આવ્યું છે. તો આંગળીના આધારે અમુક લોકોના ગરીબ હોવાના સંકેત પણ જણાવવામાં આવ્યાં છે.
સમુદ્ર શાસ્ત્રમાં આંગળીના આધારે લોકોના સ્વભાવ અંગે ચર્ચા કરાઈ
અંગોની બનાવટ જોઇને તમે ભવિષ્ય અને વ્યક્તિત્વ અંગે જાણી શકો છો
નાની આંગળીવાળા લોકોથી બચીને રહેવુ જોઈએ
જાણો પાતળી અને નાની આંગળીવાળા લોકોનો સ્વભાવ કેવો હોય છે?
સમુદ્ર શાસ્ત્ર મુજબ કોઈ પણ વ્યક્તિના શરીર પર રહેલ અંગોની બનાવટ જોઇને તમે તેના ભવિષ્ય અને વ્યક્તિત્વ અંગે જાણી શકો છો. મહત્વનું છે કે સમુદ્ર શાસ્ત્રની રચના સમુદ્ર ઋષિએ કરી હતી. તેથી તેને સામુદ્રીક શાસ્ત્ર કહેવામાં આવે છે. ઘણા લોકો તેને અંગ શાસ્ત્રના નામથી પણ જાણે છે. જે રીતે લોકો હાથની રેખાઓના આધારે પોતાનુ ભવિષ્ય જોવે છે. એ જ રીતે આંગળીની બનાવટના પણ ઘણા અર્થ કાઢી શકાય છે. જાણો પાતળી અને નાની આંગળીવાળા લોકોનો સ્વભાવ કેવો હોય છે?
પાતળી આંગળીઓવાળા રહે છે મોજમાં
શાસ્ત્ર મુજબ, જે લોકોની આંગળીઓ પાતળી હોય છે, તેનુ સ્વાસ્થ્ય સારું રહે છે. આ ઉપરાંત એવા લોકો ક્રિએટીવ પણ હોય છે. એવા લોકો બીજા પાસે વધુ આશા પણ રાખતા નથી. આવા લોકોમાં સંબંધોને નિભાવવાની કલા પણ હોય છે. આવા લોકો બીજાના સુખ દુ:ખ અંગે પણ વિચારે છે. જેનુ દિલ ખૂબ સ્પષ્ટ હોય છે. તેઓ પોતાના વિચાર ખુલીને મુકે છે. આવા લોકો પોતાની તરફથી ભરપૂર પ્રયાસ કરે છે કે બીજાને ખુશ કરી શકાય.
નાની આંગળીઓવાળા લોકોનો હોય છે આવો સ્વભાવ
સમુદ્ર શાસ્ત્ર મુજબ, નાની આંગળીવાળા લોકોથી બચીને રહેવુ જોઈએ. આવા લોકો સ્વાર્થી અને સુસ્ત પ્રવૃત્તિના માનવામાં આવે છે. આવા જાતકોનો સ્વભાવ એવો હોય છે કે કામ હોય તો આ તમારી સાથે સંપર્ક કરે છે. ત્યારબાદ આવા લોકો તમારી સાથે સંપર્ક કાપી નાખેે છે. આ ઉપરાંત આવા લોકોના શોખ પણ ખૂબ મોંઘા હોય છે. આવા લોકો ભૌતિક સુખ મેળવે છે. આવા લોકોનો સ્વભાવ મજાકિયો હોય છે. આવા લોકો સંબંધ બનાવવામાં પણ આગળ રહે છે.