ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ફાઇનલ મેચ રદ્દ કરવામાં આવી છે ત્યારે BCCI દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
BCCIએ ટેસ્ટ રદ્દ થવા પર માંગી માફી
ખેલાડીઓની સુરક્ષા સર્વોપરી : BCCI
મેચ ફરીથી કરવા માટે રજૂઆત કરવામાં આવી : BCCI
BCCIએ જાહેર કર્યું નિવેદન
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રદ્દ થઈ ગયેલ પાંચમી ટેસ્ટ મેચ મુદ્દે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે BCCI તરફથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જ્યારથી મેચ રદ્દ થવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ફેન્સનાં મનમાં સીરિઝ કોણ જીત્યું તેને લઈને સસ્પેન્સ યથાવત છે ત્યારે BCCIએ ચાહકો પાસેથી માફી માંગી છે. BCCIએ કહ્યું કે આ નિર્ણય ભારત અને ઈંગ્લેન્ડ બંને દ્વારા સંયુક્ત રૂપે લેવામાં આવ્યો છે. બોર્ડે કહ્યું કે ટેસ્ટ મેચ માટે લાંબા સમય સુધી બેઠક કરવામાં આવૈ હતી જોકે ઇંડિયન ટીમમાં કોરોના વાયરસનાં પ્રકોપને જોતાં મેચ રદ્દ કરવા માટે અમે મજબૂર થયા છે.
Update: The BCCI and ECB held several rounds of discussion to find a way to play the match, however, the outbreak of Covid-19 in the Indian team contingent forced the decision of calling off the Old Trafford Test.
સસ્પેન્સ પરથી પડદો ઉઠ્યો
બોર્ડે કહ્યું કે BCCIએ મેચને રિશેડ્યૂલ કરવા માટેની રજૂઆત કરી છે અને આબંને બોર્ડ ભેગા થઈને કોઈ સમાધાન પર પહોંચીશું. BCCIએ વધુમાં કહ્યું કે અમે હંમેશા ખેલાડીઓને સુરક્ષા અને ભલાઈને સર્વોપરી માનીએ છે. એક રોમાંચક સીરિઝને પૂરી ન કરવા બદલ અમે પ્રશંસકોની માફી માંગીએ છીએ.
કોચ શાસ્ત્રીને થયો કોરોના
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજની છેલ્લી ટેસ્ટ મેચને રદ્દ કરી દેવામાં આવી છે. કોરોનાની લટકતી તલવાર વચ્ચે બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાનાં કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફનાં ત્રણ સદસ્ય ચોથી ટેસ્ટ મેચ દરમિયાન જ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે અને ફિઝિયો વિભાગમાંથી પણ એક કોરોના કેસ સામે આવ્યો હતો એવામાં કોરોના વાયરસનાં ખતરાને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોના વાયરસનાં કારણે લેવાયો નિર્ણય
ECB એ કહ્યું કે, "ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે ચાલી રહેલી વાતચીત બાદ, માન્ચેસ્ટરમાં ટેસ્ટ મેચ રદ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના ખતરાને કારણે ભારતીય ખેલાડીઓ ડરી ગયા હતા અને ભારત પાસે મેચ રમવા માટે પ્લેઇંગ 11 નહોતું, તેથી મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે મેચ રદ્દ કરવા બદલ ચાહકોની માફી માંગી અને બોર્ડે કહ્યું, "અમે અમારા ક્રિકેટ ચાહકો, સમાચાર ભાગીદારોની માફી માંગીએ છીએ. અમે તમને અસુવિધા પહોંચાડી છે.
DKએ કહ્યું ટાટા બાય બાય
નોંધનીય છે કે આજે BCCIનાં અધિકારીઓ દ્વારા મોટી બેઠક કરવામાં આવી હતી જે બાદ નિર્ણય જાહેર કરવામાં આવ્યો કે આજે મેચ રમવામાં આવશે નહીં અને તે રદ્દ કરવામાં આવે છે. ક્રિકેટર દિનેશ કાર્તિકે ટ્વિટ કેને કહ્યું કે આજે કોઈ જ મેચ નહીં થાય. તેમણે કહ્યું કે નો પ્લે ટુડે, ઓકે, ટાટા, બાય.