છેલ્લા અમુક સમયથી કેન્દ્ર સરકાર પર અત્યંત આક્રમક રહેલા કોંગ્રેસના પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ફરી ટ્વીટરના માધ્યમથી મોદી સરકાર પર પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે રિઝર્વ બેન્કે દેશના લોકોનો અસલી મૂડ સૌની સામે ઉજાગર કર્યો છે. કોરોનાના સતત વધી રહેલા નેશનલ ગ્રાફના મુદ્દે તેમણે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણના કુલ કેસો 20 લાખને પર પહોંચી ગયા છે, ત્યારે દેશમાંથી જાણે સરકાર જ ગાયબ થઈ ગઈ હોઈ એવું લાગી રહ્યું છે.
રાહુલે કહ્યું," 20 લાખનો આંકડો પાર, ગાયબ છે મોદી સરકાર
કોરોના, અર્થતંત્ર અને રોજગારીના મુદ્દે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો
RBIએ અસલી મૂડ ઓફ ધ નેશનનો ખુલાસો કર્યો છે, રાહુલનું ટ્વીટ
રાહુલ ગાંધીએ ફરી એકવાર ટ્વીટરના માધ્યમથી શુક્રવારના રોજ કેન્દ્રની મોદી સરકારને અડફેટે લીધી હતી. તેમણે જણાવ્યું હતુ કે હાલમાં દેશના લોકો ખુબ જ ભયભીત છે, અને તેમના વિશ્વાસનું સ્તર સૌથી નીચા લેવલે જઈ પહોંચ્યું છે. લોકો ખુબ જ મોટા પાયા પર ભય અને અસુરક્ષિતતાની લાગણી અનુભવી રહ્યા છે. દેશમાં હાલમાં જાણે કે સરકારનું અસ્તિત્વ જ વિલીન થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.
RBI reveals the real 'Mood of the Nation':
People's confidence at all time low.
Fear and insecurity at all time high.
જાણો શાના મુદ્દે કહ્યું હજુ આવી શકે છે વધુ ખરાબ સમાચાર
સતત વધી રહેલા કોરોનાના કેસો અને રોજગાર તેમ જ અર્થ્વ્યવસ્થા પરના સંકટના મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશમાં રોજગાર અને અર્થવ્યવસ્થાના મોરચે હજુ વધુ ખરાબ સમાચારો આવવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી કેન્દ્રની મોદી સરકાર પર કોરોના, બેરોજગારી અને અર્થતંત્રના મુદ્દે નિષ્ફળ જવાનો આરોપ લગાવતા રહ્યાં છે. મોદી સરકારના નિર્ણયો અને નીતિઓની આ મામલે તેઓ સતત ટીકા કરતા રહ્યાં છે.
ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે આ સાથે જ પોતાની 17 જુલાઈએ કરેલી એક ટ્વીટ ને રિટ્વીટ કરી હટ જેમાં તેમણે આગાહી કરેલી કે જો ભારતમાં આ જ પ્રમાણે કોરોનાના કેસો વધતા રહ્યાં તો 10 ઓગસ્ટ સુધીમાં દેશમાં કોરોના કેસોનો કુલ આંકડો 20 લાખને પાર પહોંચી જશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 62538 નોંધાઈ હતી જે હલ સુધીમાં એક દિવસમાં નોંધાયેલા કેસોનો સૌથી ઉંચો આંકડો છે આ સાથે જ કુલ કેસોની સંખ્યા પણ 20 લાખના માર્કને પર કરીને 20,27,074 પર પહોંચી ગઈ હતી જયારે એક દિવસમાં 886 મૃત્યુ નોંધાયા હોવાના લીધે કુલ મરણ આંક પણ 41585 જેટલો થઈ ગયો હતો.