વેક્સિન લીધા બાદ કેટલાક પોલીસકર્મીમાં જોવા મળ્યું રિએક્શન
વેક્સિન બાદ ચક્કર અને તાવની ફરિયાદ આવી
વડોદરાની સયાજી હોસ્પિટલમાં ગઈકાલે એક સફાઈ કર્મચારીએ વેક્સિન લીધા બાદ મોત થયું હતું. જેના પરિવારજનોએ તંત્ર પર આક્ષેપ કર્યા હતા. અને વેક્સિનના કારણે તેના પતિનું મોત થયાનો આક્ષેપ પત્નીએ કર્યો હતો. જો બાદ આજે પોલીસ તાલીમ શાળાના 15 તાલીમાર્થીને વેક્સિનની આડઅસર થઈ હતી. આ બાદ તમામ તાલીમાર્થીઓને સયાજી હોસ્પિટલમાં ઓબઝર્વેશનમાં રખાયા હતા. એક સફાઈ કર્મચારીના મોત બાદ આક્ષેપો અને પોલીસ તાલીમાર્થીઓ સારવાર આપવાની વાત પછી લોકોમાં ચિંતાનું મોજું જોવા મળ્યું હતું.
દેશભરમાં કોરોના વેક્સિનેશનના બીજા તબક્કાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ફ્રન્ટલાઈનના કર્મચારીઓને આ વેક્સિન અપાઈ રહી છે. જો કે, વેક્સિન લીધા બાદ વડોદરામાં કેટલાક પોલીસ તાલીમાર્થીઓને તાવ અને ચક્કર આવ્યા હતા. જેમાં મહિલા પોલીસ તાલીમાર્થીઓનો પણ સમાવેશ થાય છે.