ગુજરાતના મહાનગરોમાં કોરોનાનો હાહાકાર છે તો બીજી તરફ ગામડાઓમાં પણ એટલી હદ પરિસ્થિતિ વણસી કે, સ્વૈચ્છિક લોકડાઉન કરવું પડ્યું
નાના શહેરોમાં સ્વયંભ લોકડાઉન
કોરોનાના કેસ વધતાં લેવાયો નિર્ણય
ગાંધીનગરના ખોરજ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન
ગુજરાતના શહેરોની સાથે ગામડામાં પણ કોરોનાનો હાહાકાર મચ્યો છે. રોજ વધતા કોરોનાના કેસને લઇને સ્વૈચ્છિક લોકડાઉન તરફ ગુજરાતના ગામડાઓ વળ્યા છે. અનેક શહેરોના વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. કોરોનાની ઘાતકી લહેરથી બચવા સ્વૈચ્છિક લોકડાઉનની અમલવારી કરવામાં આવી રહી છે. અમદાવાદથી લઇને જૂનાગઢના વંથલી સુધી સ્વૈચ્છિક લોકડાઉનની અમલવારી કરવામાં આવી રહી છે.
અમદાવાદના સોલા વિસ્તારમાં શનિવાર અને રવિવારે દુકાનો બંધ રહેશે. તો અમદાવાદના બારેજામાં આંશિક લોકડાઉનનો નિર્ણય કરાયો છે. ગાંધીનગરના ખોરજ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય કરાયો છે. આ સાથે સૌરાષ્ટ્રના જૂનાગઢના વંથલી તાલુકાનું શાંતલપુર ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરાશે. સાંતલપુરમાં 30 લોકો થયા કોરોના સંક્રમિત થયા છે. કેસો વધતા સાંતલપુરમાં સ્વૈચ્છિક આંશિક લોકડાઉન જાહેર કરાયું છે. અને ઉપલેટામાં 9 દિવસ માટે આંશિક લોકડાઉનનું પાલન કરાશે.
ખેડા જિલ્લાના કપંડવંજ, નડિયાદ, ખંભાતમાં સ્વયંભૂ લોકડાઉન
વિદ્યાનગર, બાયડ, બારેજામાં સ્વયંભૂ લોકડાઉન
નવસારીમાં શનિવાર અને રવિવારે સ્વૈચ્છિક બંધ
પાલનપુર, ડીસા અને ભાભરમાં પણ દુકાનો શનિ-રવિ બંધ રહેશે
ખંભાળિયા તાલુકાના સામોર ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓના કારણે સરકારી હોય કે, ખાનગી હોસ્પિટલ પણ ફૂલ જોવા મળી રહી છે. બીજી તરફ ઓક્સિજનનો ઉપયોગ પણ સાથોસાથ વધ્યો હોવાનું સામે આવ્યું છે. હોળાષ્ટક પહેલા જે ઓક્સિજનના સિલિન્ડરની કિંમત 160થી 170 રૂપિયા હતી. તેની કિંમત હાલ કંપનીઓએ વધારીને 285 રૂપિયા કરી દીધી છે.