ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ એકમાં 10 કેબિનેટ મંત્રીઓને ચેમ્બર ફાળવવામાં આવી હવે પૂર્વમંત્રીના સ્થાનિ બેસશે આ મંત્રીઓ જાણો કયા મંત્રીને કોની મળી ચેમ્બર
સ્વર્ણિમ સંકુલ એકમાં મંત્રીઓને ચેમ્બર ફાળવાઈ
10 કેબિનેટ મંત્રીઓને અલગ અગલ ચેમ્બર મળી
રાજ્ય જાહેર વહીવટી વિભાગે ફાળવવી ચેમ્બર
ગુજરાતમાં નવામંત્રી મંડળ અસ્તિત્વમાં આવ્યા બાદ તમામ મંત્રીઓને ચેમ્બર ફાળવવામાં આવી છે, જુના મંત્રીઓનું સ્થાન હવે નવા મંત્રીઓને લીધું છે ત્યારે કયા મંત્રીને કોની ચેમ્બર મળી છે તેનો એક અહેવાલ સામે આવ્યો છે. અહી સ્વર્ણિમ સંકુલ એમમાં 10 કેબિનેટ મંત્રીઓને ચેમ્બર ફાળવવામાં આવી છે. સરકારની ઈમેજ નવેસરથી ઊભી કરવા માટે જે નવી સરકાર રચાઈ છે તેમના માંથે મોટી જવાબદારીનો ભાર મુકવામાં આવ્યો છે ત્યારે ગુજરાતની નવી રચાયેલી સરકારના મંત્રીઓને અગાઉ રહેલા મંત્રીઓની ચેમ્બર ફાળવવામાં આવી છે જુઓ કયા મંત્રીઓને કઈ ચેમ્બરમાં સ્થાન મળ્યું છે.
સ્વર્ણિમ સંકુલ એકમાં મંત્રીઓને ચેમ્બર ફાળવાઈ
રાજ્યના જાહેર વહીવટ વિભાગ તમામ મંત્રીઓે ચેમ્બર ફાળવવાઈ છે જેમાં નીતિન પટેલની ચેમ્બરમાં હવે મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને ફાળવવામાં આવી છે . જ્યારે નીતિન પટેલમી બીજી ચેમ્બર નવા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને ફાળવામાં આવી છે. જ્યારે જીતુ વાઘાણીએ શિક્ષણમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. આર.સી ફળદુની ચેમ્બર હવે માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી ઋષિકેશ પટેલને ફાળવવામાં આવી છે, જ્યારે માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પુર્ણેશ મોદીને આર.સી ફળદુની ચેમ્બર ફાળવવામાં આવી છે.
10 કેબિનેટ મંત્રીઓને અલગ અગલ ચેમ્બર મળી
કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન રાઘવજી પટેલને ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ચેમ્બર ફાળવાઈ છે. સૌરભ પટેલની ચેમ્બર નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સના મંત્રી કનું દેસાઈને ફાળવવામાં આવી છે જ્યારે પૂર્વમંત્રી જયેશ રાદડિયાની ચેમ્બર સામાજીક ન્યાય અને અધિકારીતાના મત્રી પ્રદીપ પરમારને ફળવવામાં આવી છે. તો ગણપત વસાવની ચેમ્બર ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણને ફાળવવામાં આવી છે આમ ચેમ્બરના પહેલા માળથી લઈને 5માં માળ સુધીની ચેમ્બર મંત્રીઓને ફાળવવામાં આવી છે. આમ નવા મંત્રીઓને ચેમ્બરની ફાળવણી કરવામાં આવતા જ તેમણે ચાર્જ સંભાળ્યો છે.