ગુજરાતમાં કોરોનાના કેસના વધતા આંકાડાને લઈ સરકાર સતર્ક બની છે. રવિવારના દિવસે મુખ્યમંત્રીએ લોકોને સંદેશો આપી ખાત્રી આપી કે, લોકડાઉન લાગશે નહીં
રાજ્યમાં કોરનાના વધતા કેસને લઈ CMનું નિવેદન
રવિવારના દિવસે લોકોને CM રૂપાણીનો સંદેશો
હું ખાત્રી આપું છું કે, હવે સંપૂર્ણ લોકડાઉન થશે નહીં
રાજ્યમાં છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનતાને સંબોધન કર્યું છે. CMએ કહ્યું કે, સમગ્ર દેશમાં કેસ વધી રહ્યા છે. આપણું ગુજરાત તેમાં બાકાત નથી. સરકાર કેસોને ઘટાડવા અને લોકો માટે સારવાર ઉભી કરવા તત્પર છે. સંક્રમણને ફેલાતું અટકાવવાની આપણી જવાબદારી છે. સરકારે પણ શિક્ષણના સમય અને ઓનલાઈન એજયુકેશનમાં ફેરફાર કર્યા છે. મહાનગરોમાં હોટલ, રેસ્ટોરા માટે અંકુશ મુક્યા છે. હું સમજું છું કે, આ બધુ નછૂટકે કરવું પડ્યું છે.
સરકારના રોજગારની ચિંતા કરી રહી છે
સરકાર લોકોને હેરન ન થવું પડે અને રોજગાર પર અસર ન થાય તેવી ચિંતા કરી રહ્યા છે. લોકોએ પણ અમને પૂર્ણ સહકાર આપ્યો છે. લોકો સરકારની પડખે ઉભા રહ્યા છે. ગુજરાતના પ્રયાસની પ્રશંસા, WHO અને સુપ્રીમ કોર્ટે પણ કરી છે.
હું ખાત્રી આપું છું કે, પરત લોકડાઉન લાગશે નહીં
પરંતુ પાછું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે ફરી આપણે સતર્ક બન્યા છીએ. રાજ્યમાં ટેસ્ટિંગ વધારી દેવાયું છે. વેક્સિનેશનનું કામ પણ વધ્યું છે. મુખ્યમંત્રી તરીકે ખાત્રી આપું છું કે, કોઈપણ કાળે લોકડાઉન થવાનું નથી. કેસો વધ્યા છે. એટલે પગલા લેવા પડ્યા છે. જો કેસ ઘટશે. પહેલા જેવું વાતાવરણ થઈ જશે.
માસ્કના દંડમાં અમને કોઈ રસ નથી
મુખ્યમંત્રીએ માસ્ક અંગે અને તેના દંડ વિશે પણ ચર્ચા કરી છે. માસ્ક પહેરવા ફરજિયાત છે. માસ્ક તમારી સુરક્ષા છે. અમને માસ્કના નામે દંડ લેવામાં કોઈ રસ નથી. કોર્ટના આદેશના કારણે લોકો પાસે દંડ લેવાઈ રહ્યો છે. કોઈ લોકડાઉન થવાનું નથી. અફવામાં વિશ્વાસ કરતા નહીં. ગભરાવવાની પણ જરૂર નથી. સાથે સાવચેતી પણ રાખવાની જરૂર છે.