ICMR દ્વારા દેશમાં ચોથો સીરો સર્વે કરવામાં આવશે, સીરો સર્વેમાં લોકોના શરીરમાં કોરોના વાઈરસની એન્ટીબોડી બની છે કે નહીં. તેની ચકાસણ કરવામાં આવશે
દેશમાં ICMR દ્વારા ચોથા તબક્કાનું સીરો સર્વે હાથ ધરાશે
આ સર્વે દ્વારા કેટલા લોકોમાં એન્ટીબોડી બની છે તે જણાશે
દેશમાં નવા વેરિયન્ટની અસર અને લોકોને વાઈરસની કેટલી અસર
કેન્દ્રીય આરોગ્ય વિભાગે શુક્રવારે કહ્યું કે, દેશમાં કોવિડ-19ના ફેલાવાનું તારણ કાઢવા માટે ICMR ચોથા તબક્કાનું રાષ્ટ્રીય સીરો સર્વેક્ષણ કરશે. જો કે, આ સાથે તમામ રાજ્યને પણ આ સર્વેક્ષણ માટે પ્રેરિત કરવા જોઈએ. જેથી કોરોનાના ફેલાવા અંગે તારણ કાઢી શકાય. નીતિ આયોગના સદસ્ય વીકે પૉલે કહ્યું કે, ICMR આ મહિનાથી ચોથા તબક્કાનું સર્વેક્ષણ કરશે.
ભારતીય આર્યુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ મુજબ 21 રાજ્યના 70 જિલ્લામાં સીરો સર્વેક્ષણ કરવામાં આવશે. જેમાં 6 વર્ષથી મોટી ઉંમરના લોકોનો સમાવેશ કરવામાં આવશે. આ સીરો સર્વેમાં લોકોના શરીરમાં કોરોના વાઈરસની એન્ટીબોડી બની છે કે નહીં. તેની ચકાસણ કરવામાં આવે છે. અને જો કોઈ વ્યક્તિના શરીરમાં એન્ટીબોડી બની ચૂકી છે. તેનો મતલબ તે વાઈરસથી સંક્રમિત થયો છે. આ ટેસ્ટ માટે સીરો સર્વેમાં લોહીના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ સર્વેમાં એ વાતનો પણ ખ્યાલ આવે છે કે, સંક્રમણ કેટલા સ્તર સુધી ફેલાયું છે.
ICMRના ત્રીજા તબક્કાનું સીરો સર્વે 17 ડિસેમ્બર 2020થી 8 જાન્યુઆરી 2021 વચ્ચે થયું હતું. તો નીતિ આયોગના પૉલે કહ્યું કે, રાજ્યવાર આ સર્વે કરવો જોઈએ. જેથી મહામારીના સંકટને ટાળી શકાય છે. જિલ્લા અને રાજ્યના સ્તર પર એવા સ્થળ પર આ સર્વેની કામગીરી થવી જોઈએ. જ્યાં સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. અને ચોથો સર્વે એવા સમયમાં કરવામાં આવશે. જ્યારે સામાન્ય વ્યક્તિઓ માટે રસીકરણનો કાર્યક્રમ શરૂ કરી દેવાશે.
ડૉક્ટર રાકેશ મિશ્રાએ કહ્યું, એવું લાગી રહ્યું છે કે, મોટાભાગના દેશોમાં 80થી 90 ટકા કેસ ડેલ્ટા વેરિયન્ટમાં ચાલે છે. પરંતુ નવા વેરિયન્ટ આવવાની સ્થિતિમાં બે મહિનામાં પરિસ્થિતિ બદલાઈ જાય છે. બ્રિટેનમાં સામે આવેલા કેટલાક રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ડેલ્ટા વેરિયન્ટ તાકતવર થઈ રહ્યા છે. પરંતુ તેનો મતલબ તે વધુ એ નથી કે, તે વધુ તાકાતવર થઈ જશે.
8 જાન્યુઆરી સુધીના સર્વેમાં જાણવા મળ્યું છે કે, દેશમાં 18 વર્ષથી ઉપરના દર 5 ભારતીયમાંથી 1 વ્યક્તિ કોરોનાનો શિકાર બન્યો છે. મહિલાઓમાં 22.7 અને પુરુષોની સંખ્યામાં 20.3 ટકા એન્ટીબોડી જોવા મળી છે. અગાઉના ત્રણ સીરો સર્વેમાં 70 જિલ્લાના 700 ગામ અને 21 રાજ્યનો સમાવેશ કર્યો હતો.