જાણો રાજ્યના 65 ટકા MSME ઉદ્યોગ ધરાવતું સુરત લોકડાઉન દરમિયાન આર્થિક રીતે સ્થગિત થઈ ગયું હતું. જોકે અનલોક આવ્યા બાદ સુરતની આર્થિક ગાડી ફરી પાટા પર ચડી છે.
મહમારીની કેવી રહી ઉદ્યોગજગત પર અસર?
ઉદ્યોગોની ગાડી પાટા પર ચડશે?
કોરોના વચ્ચે કેવી છે ઉદ્યોગોની સ્થિતિ
સુરત એ ગુજરાતનું આર્થિક ગ્રોથ એન્જીન છે. કારણ કે, સુરતમાં આર્થિક પ્રવૃત્તિ અટકે એટલે સમગ્ર ગુજરાત ઉપર તેની અસર જોવા મળે. આવું જ કંઈક લોકડાઉન દરમિયાન જોવા મળ્યું. રાજ્યના 65 ટકા MSME ઉદ્યોગ ધરાવતું સુરત લોકડાઉન દરમિયાન આર્થિક રીતે સ્થગિત થઈ ગયું હતું. જોકે અનલોક આવ્યા બાદ સુરતની આર્થિક ગાડી ફરી પાટા પર ચડી છે.
સુરત ડાયમંડનગરી, ટેક્સટાઈ સિટી સહિત અનેક હુલામણા નામોથી ઓળખાય છે. કારણ કે, દેશમાં જેટલા પણ MSME ઉદ્યોગો એટલે કે, સુક્ષ્મ-મધ્યમ અને લધુ ઉદ્યોગો આવેલા છે. તેમાંથી 50 ટકા ઉદ્યોગ ગુજરાતમાં છે. અને ગુજરાતની વાત કરીએ તો રાજ્યના 65 ટકા ઉદ્યોગો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આવ્યા છે.
ત્યારે સ્વાભાવિક છે કે, લોકડાઉનની સૌથી વધુ અસર સુરત અને દક્ષિણ ગુજરાત પર થવાની. અને પડી પણ હતી. જેમાં અનેક ઉદ્યોગ પડી ભાંગ્યા તો અનેક ઉદ્યોગો ફરી ઉભા થવાની કોશિશ કરી રહ્યા છે. જોકે મેં મહિનાથી તબક્કાવાર અનલોક શરૂ થયા બાદ ફરી બંધ પડેલા ઉદ્યોગો પાટા પર ચડી રહ્યા છે.
ઉદ્યોગોની મુલાકાત લેતા તપાસ કરી તો જાણવા મળ્યું કે, અનલોક આવ્યા બાધ ધીમે-ધીમે ઉદ્યોગો ફરી પોતાની ગતિ પકડી રહ્યા છે. ખાસ કરીને સુરત ટેક્સટાઇલ અને ડાયમન્ડનું હબ છે અને આ બન્ને ઉદ્યોગોની સાથે કલર કેમિકલ ઉદ્યોગ પણ ખૂબ મહત્વનો છે. લોકડાઉનમાં ઉદ્યોગ ધંધા બંધ હતા છતાં સુરતના ઉદ્યોગ સાહસિકોએ ત્રણ-ત્રણ મહિના સુધી પોતાના કામદારોને સાચવ્યા હતા અને તેમને ખાવા પીવાની વ્યવસ્થા પણ કરી હતી.
MSME સાથે સંકળાયેલા લોકોએ પોતે ખોટ સહન કરી કામદારોને સાચવ્યા હતા. એટલું જ નહીં વધારાનો આર્થિક બોજ પણ સહન કર્યો હતો. અને આજે કદાચ આ જ કારણ પણ છે કે, સુરતના ઉદ્યોગો ફરી ધમધમવા લાગ્યા છે.
મહત્વનું છે કે, લોકડાઉનમાં સૌથી વધુ અસર ટેક્સટાઇલ સેકટરને થઈ હતી. કારીગરોને સાચવવાની સાથે સાથે બેન્કના વ્યાજ, યાર્નના પેમેન્ટનું વ્યાજ સહિત અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, પણ હાલ સ્થિતિ ખૂબ સારી છે, સુરત અગાઉના અનુભવના આધારે ફરી ઉભું થઈ ગયું છે.