મહેસાણામાં એક જ પરિવારના 4 લોકોના આપઘાતના પ્રયાસ, સુરતમાં આંગડિયા પેઢનો કર્મચારી લૂંટાયો
મહેસાણાના લાડોલ ગામે એક જ પરિવારના 4 લોકોએ આપઘાતનો પ્રયાસ
સુરતના રામપુરામાં વધુ એક આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો
રાજ્યમાં જીવલેણ અકસ્માતની 3 ઘટનામાં 3 લોકોના મૃત્યુ
મહેસાણાના લાડોલ ગામે એક જ પરિવારના 4 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 4 લોકોએ કૂવામાં ખાબકીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બંને બાળકો સાથે પતિ-પત્નીએ કૂવામાં ઝંપલાવ્યું હતું. જો કે, કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તે મામલે કોઈ ખુલાસો કર્યો નથી. ઘટનાની જાણ બાદ ફાયરવિભાગે રેસ્ક્યૂની કામગીરી કરી હતી.
સુરતના રામપુરામાં વધુ એક આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. પેઢીનો કર્મચારી 25 લાખ રૂપિયાનો થેલો લઈને જતો હતો. આ દરમિયાન બાઈક પર આવેલા શખ્સોએ લૂંટ કરી હતી. લૂંટની સાથે કર્મચારી ઈજાગ્રસ્ત પણ થયો હતો. જે બાદ તેને સારવાર માટે ખસેડાયો છે. સમગ્ર ઘટનાની તપાસ ક્રાઈમબ્રાંચ દ્વારા કરવામાં આવી છે.
રાજ્યમાં જીવલેણ અકસ્માતની 3 ઘટનામાં 3 લોકોના મૃત્યુ થયા છે. વાંકાનેર, અરવલ્લી અને બારડોલીમાં અકસ્માતની ઘટના બની હતી. વાંકાનેર મોરબી હાઈવે પર બાઇકને ટ્રેલરે અડફેટે લેતા બાઈક સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. જ્યારે અરવલ્લીમાં બાયડના વાત્રક નજીક ત્રણ બાઇકો વચ્ચે ભારે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. તો બારડોલીના નાદિડા ચાર રસ્તા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત દરમિયાન બાઈક સ્લીપ થતા એક બાઈકમાં અચાનક આગ લાગી હતી. જો કે કોઈ જાનહાનિની થઈ નથી. પરંતુ બાઈકચાલકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.