બિનઅનામત રોજગારલક્ષી યોજનાઓ માટે રૂ.500 કરોડની ફાળવણી, વૃદ્વ પેન્શન, નિરાધાર વૃદ્વ યોજના માટે રૂ.1032 કરોડની જોગવાઈ કરાઈ છે.
આત્મનિર્ભર અંદાજપત્ર
સામાજિક ન્યાય વિભાગ માટે કેટલી ફાળવણી?
કયા વિભાગમાં કેટલી ફાળવણી કરાઇ?
બજેટમાં સામાજિક ન્યાય વિભાગ માટે રૂ.4353 કરોડની જોગવાઇ કરાઇ છે. જેમાં બિનઅનામત રોજગારલક્ષી યોજનાઓ માટે રૂ.500 કરોડની ફાળવણી, વૃદ્વ પેન્શન, નિરાધાર વૃદ્વ યોજના માટે રૂ.1032 કરોડની જોગવાઈ કરાઈ છે. તો ST,વિકાસતી જાતિ શિષ્યવૃતિ માટે રૂ.549 કરોડ, આંબેડકર આવાસ યોજના સહાય માટે રૂ.159 કરોડની જોગવાઇ કરાઇ છે.
કુંવરબાઈનું મામેરૂ
જ્યારે દિવ્યાંગો સશક્તિકરણ માટે રૂ.53 કરોડ, માનવ ગરિમા યોજના હેઠળ રૂ.44 કરોડની જોગવાઇ કરાઇ છે. જ્યારે ST અને વિકસતી જાતિ કુંવરબાઇ મામેરૂ યોજના હેઠળ રૂ.40 કરોડ ફાળવ્યા છે. કુંવરભાઇ મામેરૂ યોજનામાં રૂ. 2 હજાર કરોડનો વધારો કરી12 હજાર કરાઇ છે. તો રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના માટે રૂ.19 કરોડ, સાતફેરા સમુહ લગ્ન સહાય યોજના માટે રૂ.10 કરોડની ફાળવણી કરાઇ છે.
E-લર્નિંગ પ્રોજેક્ટ માટે વિશેષ સુવિધા
તો 80 ટકાથી વધુ બૌદ્વિક અસમર્થતાવાળા દિવ્યાંગને માસિક 1 હજાર અપાશે. જ્યારે દિવ્યાંગ લગ્ન સહાય માટે રૂ.8 કરોડની જોગવાઇ અને આદર્શ નિવાસી શાળાઓના વિકાસ માટે રૂ.3 કરોડની ફાળવણી કરાઇ છે. સાથે જ ઇ-લર્નિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. અને 3 નવા સરકારી છાત્રાલય બાંધકામ માટે રૂ.3 કરોડની ફાળવણી કરાઇ છે.
ઇતિહાસનું સૌથી મોટું બજેટ
ઇતિહાસનું સૌથી મોટું બજેટ નાણામંત્રી નીતિન પટેલે 2021-22નું રજૂ કર્યું છે તે ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. નીતિન પટેલે કુલ 2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ રજૂ કર્યું છે જેમાં કૃષિ વિભાગ માટે 27 હજાર 232 કરોડ અને શિક્ષણ વિભાગ માટે 32 હજાર 719 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11 હજાર 323 કરોડ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3 હજાર 511 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.
બજેટ રજૂ કરતાં પહેલા કોરોનાકાળમાં સરકારે કરેલા કામોના કર્યા વખાણ
ગુજરાતના બજેટને રજૂ કરતાં પહેલા નીતિન પટેલે આજે કોરોના કાળમાં ગુજરાત સરકારે કરેલા કામ ગણાવ્યા હતા. નીતિન પટેલે કહ્યું કે, રાજ્યના બધા જ જિલ્લાઑમાં વ્યવસથા ઊભી કરવામાં આવી. તેમણે કહ્યું કે કેટલાક રાજ્યોમાં તંબુઑ બાંધવા પડ્યા અને સ્ટેડિયમમાં દર્દીઑ રાખવા પડ્યા હતા .પરંતુ ગુજરાતમાં ખૂબ મોટી વ્યવસ્થા ઊભી કરવામાં આવી અને તે બદલ વિજય રૂપાણીનો આભાર માનું છું. આવું સુંદર આયોજન આખા ભારતમાં માત્ર ગુજરાતમાં થયું છે.
નીતિન પટેલે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ સતત માર્ગદર્શન આપ્યું હતું અને તેમાં તેમણે આયુર્વેદિક દવાઓ પર ભાર મૂક્યો હતો અને તે માટે અમે કરોડો લોકોને ઇમ્યુનિટી માટે પડીકી અને ઉકાળા આપ્યા.