સામુદ્રિક શાસ્ત્રનું નામ તમે સાંભળ્યું જ હશે પરંતુ તમને ખબર છે તેના પરથી જાણી શકાય છે કે લોકોનું વ્યક્તિત્વ કેવું હશે. વ્યક્તિના હાવભાવ કે તેના શરીરના અંગો પરથી તેના સ્વભાવ અને વ્યક્તિત્વ કેવું છે. આજે અમે તમને જણાવીશું કે, તમે સ્ત્રીઓની ભ્રમર પરથી જાણી શકશો કે તેનું વ્યક્તિત્વ કેવું છે. જાતીય વાસના જે સ્ત્રીમાં વધારે છે તે કેવી ભ્રમર ધરાવે છે.
સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે વ્યક્તિત્વ
સ્ત્રીઓની ભ્રમર પરથી જાણો સ્વભાવ
જે સ્ત્રીઓની ભ્રમર બિલકુલ નાની હોય તેને નિંદ્ય ગણવામાં આવી છે. આવી સ્ત્રીઓના સ્વભાવને જલદી સમજી શકાતો નથી. આવા પ્રકારની ભ્રમર ધરાવતી સ્ત્રીનો જન્મ શ્રીમંત ઘરમાં થયો હોય તો પણ તે સ્ત્રીનું જીવન અવ્યવસ્થિત બને છે તેમજ એવા પ્રકારના જીવનમાંથી પસાર થવાનું રહેતું હોય છે કે આંતરિક અવરોધો, વિચિત્રતાઓ, ખોટી મુશ્કેલીઓ એને વિવશતા અનુભવ્યા કરે છે. આવી સ્ત્રીઓને ધીરેધીરે એવા પ્રકારની વિવશતામાં મુકાવું પડે છે કે તેને અન્યના ઉપર આધાર રાખીને ચાલવું પડે છે. આવી સ્ત્રીઓને પ્રથમથી જ તેના પતિદેવ કે ઘરની અન્ય વ્યક્તિઓ સાથે મતભેદ રહેતા હોય છે. બીજી રીતે વાતાવરણમાં અનુકૂળતા રહે તો પણ માનસિક મતભેદ તો રહેતો જ હોય છે. આવી સ્ત્રીઓ પોતાના મનની વ્યથા-વેદના અન્ય કોઈ પાસે જલદી વ્યક્ત કરી શકતી નથી.
જે વ્યક્તિઓની ભ્રમર વચમાંથી ભરાવદાર હોય તે નિખાલસ હૃદયની અને લાંબું આયુષ્ય ભોગવતી હોય છે. આવી વ્યક્તિઓમાં બીજી વિશેષતા એ પણ જોવામાં આવી છે કે તેઓનું સ્વાસ્થ્ય વધારે સારું રહેતું હોય છે. તેઓનો દેખાવ વધારે સારો અને મિલનસાર સ્વભાવ હોય છે. આ પ્રકારની ભ્રમર ધરાવતા લોકોની વિશિષ્ટતા એ પણ છે કે તેઓ ગમે તેવા વાતાવરણને જલદી અનુકૂળતા થઈ જતાં હોય છે. અનુભવમાં એ પણ જાણવા મળ્યું કે જે વ્યક્તિઓની ભ્રમર ખૂબ જ આછી હોય તો નિર્બળ મનોવૃત્તિની હોય છે.
જે વ્યક્તિઓની ભ્રમર સાધારણ રીતે ભૂરા રંગની હોય છે તે શુભસૂચક છે. જો આવા પ્રકારની ભ્રમર ધરાવતી સ્ત્રી હોય અને ખાસ કરીને એ ભ્રમર ખૂબ જ ફેલાયેલી અને મોટી હોય તો તેવી સ્ત્રીઓને વૈધવ્યજીવન ભોગવવું પડે છે. આવી સ્ત્રીઓની બીજી વિશેષતા એ પણ જોવામાં આવી છે કે આવી સ્ત્રીઓ બીજા પુરુષોનો સહવાસ વધુ ઈચ્છતી હોય છે. આવી વ્યક્તિઓ જાહેર ક્ષેત્રમાં હોય તો ત્યાં પણ પોતાના સ્વભાવને અનુકૂળ એવી વ્યક્તિનો સહવાસ વધુ ઈચ્છતી હોય છે.
જે સ્ત્રીઓની ભ્રમર ભૂખરા રંગની અને ખૂબ જ જાડી હોય એટલે કે એના વાળ જાડા અને સૂકા રંગના હોય તેનામાં જાતીય વાસના ખૂબ જ હોય છે. આવી સ્ત્રીઓ વાયુ પ્રકૃતિની હોવાથી જરા આળસુ હોવા છતાં શૃંગારપ્રિય વધારે હોય છે.