કોરોનાકાળમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સરકાર સહાય કરશે.જેના માટે સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે.ત્યારે હવે આ મામલે મોટા સમાચાર આવ્યા છે.
કોવિડ મૃતકોને ચૂકવાશે સહાય
RT-PCR ટેસ્ટ ગણાશે માન્ય
અધિક મુખ્ય સચિવની જાહેરાત
ગુજરાત આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ફોર્મની પ્રક્રિયા સરળ કરવામાં આવી છે.RT-PCR ટેસ્ટ કે અન્ય રિપોર્ટ પણ માન્ય રહેશે.
RT PCR ટેસ્ટ કે અન્ય રિપોર્ટ પણ માન્ય રહેશે
આ સાથે જ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું કે, ડોક્ટર કે હોસ્પિટલના દસ્તાવેજ માન્ય ગણાશે. કોરોના સંક્રમિત થયાના 30 દિવસમાં મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને સહાય આપવામાં આવશે. જેમાં 50 હજારની સહાય અપાશે. રાજ્ય સરકારની યાદીવાળા 10 હજાર 88 કેસમાં ઝડપથી કાર્યવાહી થશે.
15 નવેમ્બરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ શરૂ
દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યા બાદ હવે જે લોકો કોરોનામાં મૃત્યું પામ્યા છે તેમના પરિવારજનો માટે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. કોરોનામાં જે પરિવારોના સ્વજનો અને ઘરના મોભી ગુમાવ્યા છે તેમને કેન્દ્ર સરકારે આર્થિક સહાય ચુકવવાની જાહેરાત કરી હતી. આ સહાય માટે 15 નવેમ્બરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ છે.
મૃતકોની સહાય લેવા પરિવારજનોએ ભરવા પડશે ફોર્મ
ગુજરાત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને સર્ટિફિકેટ આપવા માટે સમિતિ તૈયારી કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓ ચકાસ્યા બાદ દર્દીનું મોત કોરોનાથી થયું છે કે નહીં એના પર ખરાઈ કરીને સર્ટિફિકેટ આપશે, કોરોના સહાય માટે સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના હોવું જરૂરી છે અને કોરોનાથી થયું છે કે નહીં તેના પર ખરાઈ બાદ જ સર્ટિફિકેટ આપવામાં આવશે.
30 દિવસની અંદર જ અપાશે સહાય
મહત્વનું છે કે કોરોનામાં મૃત્યુ પામેલા નાગરિકોનાં પરિવારજનોને 50 હજાર રૂપિયાનું વળતર ચૂકવવા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. આવામાં કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોનું સર્ટિફિકેટ ફરજિયાત કરાયું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તૃત ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે સુપ્રીમ કોર્ટે સહાય માટે મંજૂરી આપતા જણાવ્યું છે કે આ આર્થિક મદદ અન્ય કલ્યાણ યોજનાથી અગલ હશે જે રાજ્યના આપદા પ્રબંધન ફંડમાંથી આપવામાં આવશે એટલું જ નહીં કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજના દાવો કરે એના 30 દિવસની અંદર આ સહાય મળી જશે.
કેન્દ્ર સરકારે 50 હજાર આર્થિક મદદની કરી છે જાહેરાત
આપને જણાવી દઈએ કે કોરોના કાળમાં કેટલાક લોકોના હોસ્પિટલમાં મોત નિપજ્યા હતા જ્યારે કેટલાકના ઘરોમાં જ મોત નિપજ્યા હતા જેને લઈને સુપ્રીમ કોર્ટે નિર્દેશ એ પણ કર્યો છે કે ઘરે કે હોસ્પિટલમાં જે પણ કોલોના કોવિડના કારણે મૃત્યું પામ્યા હશે તે તમામને આ વળતર આપવું, સુપ્રમી કોર્ટે NDMA આરોગ્ય મંત્રાલય રાજ્યો માટે દિશા નિર્દેશ જાહેર કરતા કહ્યું છે કે આ વળતર સહાય માટે ફરિયાદ નિવારણ સમિતી પુરાવાઓની તપાસ કરી શકે છે તેમજ સમિતીને હોસ્પિટલનો રેકોર્ડ મંગાવવાનો પણ અધિકાર આપવામાં આવશે.
કોરોના મૃતકોના પરિવારજનોને આર્થિક મદદ મળશે
કોરોના કાળમાં આરોગ્યની અપૂર્તી સુવિધાઓને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા, દેશ અને રાજ્યોમાં સ્થિતિ એટલી વણસી હતી કે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવવા લાગી હતી, તો કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિઝન અને દવાઓના અભાવના કારણે પણ વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી, પરિસ્થિતિ એટલી હદી વણસી હતી કે હોસ્પિટલમાં દર્દીઓ માટે પૂરતા બેડ પણ ઉપલબ્ધ નહોતા થઈ શકતા, અને દર્દીને હોસ્પિટલોમાં લઈ જવા 108માં પણ કલાકો અને દિવસો સુધી વેટિંગ બોલાતું ત્યારે કોરોનામાં મુત્યું પામેલા મૃતકોને થોડા ઘણા અંશે આર્થિક સહાય મળે તે માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો હતો જેને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપ્યા બાદ હવે સહાય માટે ફોર્મ ભરવાનું શરૂ થનાર છે.