મીડિયા રિપોર્ટ્સ અનુસાર નાણા મંત્રાલયે એમ્પ્લોય પ્રોવિડેન્ટ ફંડ ઑર્ગેનાઇઝેશન (EPFO ) PF ના વ્યાજદરને વર્ષના 8.65 ટકાથી ઓછું કરવા માટે કહ્યું છે.
કેન્દ્રની મોદી સરકાર PF ના વ્યાજને ઓછું કરવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નાણા મંત્રાલયે EPFO ના વ્યાજદરને વર્ષના 8.65 ટકા ઓછું કરવા માટે કહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર નાણા મંત્રાલયને એ વાતની ચિંતા છે કે પીએફ પર વધારે રિટર્ન આપવા પર બેંક માટે આકર્ષક વ્યાજ દર આપવો શક્ય નહીં થાય, જેની અસર અર્થવ્યવસ્થા પર પડશે. આ પહેલા નાણા મંત્રાલયે EPFO ને પૂછ્યું હતું કે આટલા વ્યાજ દર આપવા માટે શું એમની પાસે પૂરતું ફંડ છે. તમને જણાવી દઇએ કે ફાઇનેન્સ કંપની IL&IF અને એમની જેમ જ અન્ય જોખમ ભરેલા રોકાણોમાં ઘણા મોટા રોકાણકારોને નુકસાન ઊઠાવવું પડ્યું છે. એવામાં શું EPFO નુકસાનથી બચી શક્યું છે. સાથે જ એની પાસે શું હવે પૂરતી રકમ છે.
નોકરી કરનાર લોકોની સેલેરીનો કેટલોક ભાગ PF માં જાય છે
નોકરી કરનાર લોકોની સેલેરીનો એક ભાગ પીએફ તરીકે કાપવામાં આવે છે. આ રકમ તમારા PF ખાતામાં જમા થાય છે. આ એક પ્રકારનું રોકાણ કહેવાય છે.
તમને જણાવી દઇએ કે EPF આ સેલેરી મેળવનારી કર્મચારીઓના રિટાયરમેન્ટ બાદ આર્થિક ફાયદો આપનારી સ્કીમ છે, જે EPFO દ્વારા ચલાવવામાં આવે છે. એનું વ્યાજગર સરકાર નક્કી કરે છે. હાલના સમયમાં ખાતાધારકોને 8.65 ટકા વ્યાજ મળી રહ્યું છે.
EPFO પર ભારે પડશે વધારે રિટર્ન આપવું
દેશના કુલ 20 ટકા વર્કફોર્સ EPFO ના સભ્ય છે, જે દર મહિને પોતાની સેલેરીનો કેટલોક ભાગ PF માં રોકાણ કરે છે. EPFO પોતાના ફંડનો 85 ટકાથી પણ વધારે ભાગ કેન્દ્ર અને રાજ્યોની સિક્યોરિટીઝ અને ઊંચા રેટિંગ વાળા કૉર્પોરેટ બોન્ડ્સમાં રોકાણ કરે છે. 190 અરબ ડૉલરની અસેટ સંભાળનાર EPFO એ આશરે 8.31 કરોડ ડૉલર મુશ્કેલીઓનો સામનો કરી રહેલી IL&FS ના બૉન્ડ્સમાં રોકાણ કર્યું હતું.
શ્રમ મંત્રાલયે લોકસભા ચૂંટણી પહેલા માર્ચ 2019માં સમાપ્ત નાણાં મંત્રાલય વર્ષ માટે 8.65 ટકા વ્યાજદરની જાહેરાત કરી હતી. જો કે ફંડ્સના ખરાબ પ્રદર્શનને જોતા વ્યાજ દર યોગ્ય લાગી રહ્યો નથી. અધિકારીઓ પ્રમાણે મોંઘવારીમાં 4 ટકા નફાને જોતા વધેલો વ્યાજ દર એ લોકોને આકર્ષિત કરશે જે સેવિંગ કરવા ઇચ્છે છે.