નાણાં મંત્રાલયે ટ્વિટ કરીને કહ્યું કે, યુપીઆઈ એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે જનતા માટે ખૂબ જ સુવિધાજનક છે અને અર્થવ્યવસ્થામાં તેનું મોટું યોગદાન છે. હાલ તેમાં કોઈ ચાર્જ નહી લાગે.
RBI એ જણાવ્યું કે UPI પેમેન્ટની સમીક્ષા કરી રહી છે
UPI પેમેન્ટ પર હાલ કોઈ પણ ચાર્જ લગાવવામાં નહી આવે
MDR ચાર્જિસના નુકસાન માટે 1,500 કરોડ રૂપિયાની જાહેરાત કરી
તાજેતરમાં જ જણાવવામાં આવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા યુપીઆઈ પેમેન્ટની સમીક્ષા કરી રહી છે. એવું કહેવામાં આવ્યું હતું કે, રિઝર્વ બેંક યુપીઆઈ પેમેન્ટ પર એમડીઆર ચાર્જ એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લગાવવા પર વિચાર કરી રહી છે. હવે નાણાં મંત્રાલય તરફથી આ અંગે નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. નાણાં મંત્રાલયે ટ્વિટ કરીને કહ્યું કે, યુપીઆઈ એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે જનતા માટે ખૂબ જ સુવિધાજનક છે અને અર્થવ્યવસ્થામાં તેનું મોટું યોગદાન છે.
કોઈ ચાર્જ લગાવાશે નહી
સરકાર યુપીઆઈ પેમેન્ટ સર્વિસ પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લગાવવા પર વિચાર કરી રહી નથી. સેવા પ્રદાતાઓ માટે ખર્ચની પુન:પ્રાપ્તિ માટેના અન્ય વિકલ્પો પર વિચાર કરવામાં આવશે. ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે સરકારે ગયા વર્ષે નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. આ મદદ આ વર્ષે પણ ચાલુ રહેશે.
1500 કરોડની આર્થિક સહાય આપવામાં આવી હતી
નાણા મંત્રાલયે ટ્વિટ કરીને કહ્યું કે, યુપીઆઈ પેમેન્ટ સર્વિસ પર કોઈ ચાર્જ લેવા પર વિચાર કરવામાં આવી રહ્યો નથી. સરકારે ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ માટે ભંડોળ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ગયા વર્ષે સરકારે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને કારણે એમડીઆર ચાર્જિસના નુકસાન માટે 1,500 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી.
UPI is a digital public good with immense convenience for the public & productivity gains for the economy. There is no consideration in Govt to levy any charges for UPI services. The concerns of the service providers for cost recovery have to be met through other means. (1/2)
1 જાન્યુઆરી 2020 થી યુપીઆઈ સર્વિસ ચાર્જ મફત છે
સરકારે 1 જાન્યુઆરી, 2020 ના રોજ રૂપે ડેબિટ કાર્ડ અને યુપીઆઈને ચાર્જ-ફ્રી બનાવ્યા હતા. આવી સ્થિતિમાં, દરેક ટ્રાન્ઝેક્શન પર એમડીઆર ચાર્જનું નુકસાન થયું હતું. આની ભરપાઈ કરવા માટે જ આર્થિક મદદ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે યુપીઆઈ સેવા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનું સૌથી સરળ અને લોકપ્રિય માધ્યમ બની ગયું છે. એનપીસીઆઈના આંકડા મુજબ જુલાઈમાં યુપીઆઈની મદદથી 600 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. આ ટ્રાન્ઝેક્શનની મદદથી 10.2 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન પૂરા થયા હતા. માસિક ધોરણે, સેંકડો કરોડ ટ્રાન્ઝેક્શનથી એમડીઆર ચાર્જ નુકસાનનો અંદાજ લગાવી શકાય છે.