નાણાં મંત્રાલયે માસિક રિપોર્ટમાં કહ્યું છે કે પહેલી લહેરથી જીત્યા બાદ હવે તેઓ બીજી લહેર સામે લડવા માટે પણ તૈયાર છે.
દેશમાં વધ્યો કોરોનાનો કહેર
નાણામંત્રાલયે રિપોર્ટમાં આપી જાણકારી
નાણાં મંત્રાલય કોરોનાની બીજી લહેર સામે પણ લડવા તૈયાર
નાણાં મંત્રાલયે માસિક રિપોર્ટમાં કહ્યું છે કે પહેલી લહેરથી જીત્યા બાદ હવે તેઓ બીજી લહેર સામે લડવા માટે પણ તૈયાર છે. રિપોર્ટમાં કહેવાયું છે કે આંકડા એ વાતનો સંકેત આપે છે કે ભારત સારા અને મજબૂત બનવાની રાહ પર છે. રિપોર્ટના આધારે વર્ષ 2020-21માં ઐતિહાસિક મહામારી સામે લડ્યા બાદ પણ ભારતીય અર્થવ્યવસ્થા એક વાર ફરી સારી અને મજબૂત બનવા અગ્રેસર છે. આ વાત અનેક સાંકેતિક રીતે જોવા મળી રહી છે.
આ કારણે અર્થવ્યવસ્થાને મળી રહી છે મજબૂતી
રિપોર્ટમાં કહેવાયું છે કે શાનદાર વાપસી બાદ માર્ગ પ્રશસ્ત કરવામાં આત્મનિર્ભર ભારત મિશન દ્વારા સમર્થિત રોકાણમાં વધારો અને સામાન્ય બજેટ 2021-22માં બુનિયાદી વ્યવસ્થા અને પૂંજીગત ખર્ચમાં ભારે વધારાથી મજબૂતી મળી છે.
ફેબ્રુઆરીથી ભારતમાં કોરોનાની બીજી લહેરની થઈ છે શરૂઆત
રિપોર્ટમાં કહેવાયું છે કે ફેબ્રુઆરીના મધ્યથી રોજ નવા કેસમાં વધારો થતાં ભારતમાં સંક્રમણની બીજી લહેરની શરૂઆત થઈ છે. પહેલી લહેર અને બીજી લહેરની વચ્ચે 151 દિવસનું અંતર રહ્યું છે જ્યારે અન્ય દેશોમાં આ અંતર ઓછું હતું.
2021-22માં આત્મનિર્ભર ભારત
નાણા મંત્રાલયે કહ્યું છે તે 2020-21ની ચેલેન્જ ખતમ થતાંની સાથે 2021-22માં એક ખાસ આત્મનિર્ભર ભારત જોવા મળશે અને આર્થિક ગતિવિધિમાં પણ સુધારો જોવા મળશે. તેના કારણે કેન્દ્રની રાજકોષીય સ્થિતિમાં હાલના મહિનામાં સુધારો આવશે. રિપોર્ટના આધારે એપ્રિલ 2020થી ફેબ્રુઆરી 2021ના સમયમાં રાજકોષીય નુકસાન 14.05 લાખ કરોડ રૂપિયા થયું છે જે અનુમાન 2020-21ના 76 ટકા રહ્યું છે.
2020-21માં સરકારે લીધું 13.07 લાખ કરોડનું ઉધાર
ચોથા ત્રિમાસિકમાં અર્થવ્યવસ્થામાં રાજસ્વ પ્રાપ્તિમાં વધારો જોવા મળ્યો હતો. ફાયનાન્શિયલ ફેડરેલિઝ્મની ભાવનાને શેર કરતાં અન્ય રાજ્યોને 2020-21માં 45 હજાર કરોડ રૂપિયાની વધારાની રકમ આપવામાં આવી. આ સંશોધિત અનુમાનથી 8.2 ટકા વધારે રહી છે. કેન્દ્ર સરકારે 2020-21ના સમયે કુલ મળીને 13.7 લાખ કરોડ રૂપિયા બજારમાંથી ઉધાર લીધા છે તેના લગભગ 5.79 ટકાના દરે લીધા છે. આ દર છેલ્લા 17 વર્ષમાં સૌથી ઓછો રહ્યો છે.