નાણા મંત્રાલયે ભારતીયોના સ્વિસ બેન્કોમાં રહેલા ખાતાઓ વિશેની કોઇપણ પ્રકારની જાણકારી આપવાથી ઇનકાર કરી દીધો છે. નાણા મંત્રાલયે કહ્યું કે, ભારત અને સ્વિટ્ઝરલેન્ડની વચ્ચે કરવામાં આવેલી સંધિ અનુસાર ગોપનીયતા નીતિ હેઠળ આમ ન કરી શકીએ.
ભારત સ્વિટ્ઝરલેન્ડ સાથેની સંધિ મુજબ ગોપનીયતા નીતિ હેઠળ જાણકારી ન આપી શકે
આરટીઆઇમાં નાણા મંત્રાલયથી આ વિશેની જાણકારી માંગવામાં આવી હતી
પીટીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલી એક આરટીઆઇના જવાબમાં મંત્રાલયે કહ્યું કે, વિદેશોથી પ્રાપ્ત કાળા નાણા વિશે પણ કોઇપણ પ્રકારની જાણકારી ન આપી શકીએ.
ગોપનીયતા નીતિનું થશે ઉલ્લંઘન
નાણા મંત્રાલયે કહ્યું કે, જો તેઓએ આરટીઆઇ હેઠળ આ વિશેની જાણકારી આપી, તો પછી આ બંને દેશો વચ્ચે થએલી કર સંધિમાં ગોપનીયતા નીતિનું ઉલ્લંઘન થશે. આ કારણે આ વિશેની જાણકારી આરટીઆઇ કાયદાના સેક્શન 8 (1) A અને 8 (1) F હેઠળ આપવા માટે અનિવાર્ય નથી.
સેક્શન 8 (1) A ના હેઠળ આ પ્રકારની જાણકારી ના આપી શકીએ, ભારતની એકતા અને અખંડતાને નુકશાન પહોંચે અથવા રાષ્ટ્રની સુરક્ષા, આર્થિક સ્થિતિ અથવા બહારના દેશો સાથેના સંબંધ પર અસર પડે. જ્યારે બીજા સેક્શન મુજબ, એ જાણકારી ન આપી શકીએ, જે કોઇ અન્ય દેશથી ગોપનીયતા હેઠળ શૅર કરવામાં આવી છે.
નોંધનીય છે કે, આરટીઆઇમાં નાણા મંત્રાલયથી આ વિશેની જાણકારી માંગવામાં આવી હતી, કે કેટલા ભારતીયોના સ્વિસ બેન્કમાં ખાતા છે. આ સાથે કાળા નાણા વિશે પણ માહિતી માંગવામાં આવી હતી. જેની જાણકારી ભારત સરકારને આપવામાં આવી છે.