વીતેલ ફેબ્રુઆરી મહીનાનાં અંતરિમ બજેટમાં ત્યારનાં નાણાંમંત્રી પીયૂષ ગોયલે નવી સરકારમાં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારનાં સંકેત આપ્યાં હતાં. આ આધાર પર કહેવામાં આવી રહ્યું છે કે નવા નાણાંમંત્રી નિર્મલા સીતારમણ બેસિક આયકર છૂટની સીમા 2.50 લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરી શકે છે. જો કે, આ એટલું સરળ નથી લાગી રહ્યું.
મોદી સરકારનાં નવા કાર્યકાળનું પહેલું બજેટ આમ બજેટ રજૂ થવામાં હવે થોડાંક જ દિવસો બાકી છે. આ બજેટ (Budget 2019) ને નાણાંમંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) રજૂ કરશે. નાણાંમંત્રી સીતારમણ પાસેથી મિડલ ક્લાસ ટેક્સનાં મોરચા પર રાહતની આશા કરી રહ્યાં છે.
હકીકતમાં, વીતેલ ફેબ્રુઆરી મહીનાનાં અંતરિમ બજેટમાં ત્યારનાં નાણાંમંત્રી પીયૂષ ગોયલે નવી સરકારમાં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારનાં સંકેત આપ્યાં હતાં. આ આધાર પર કહેવામાં આવી રહ્યું છે કે નવા નાણાંમંત્રી નિર્મલા સીતારમણ બેસિક આયકર છૂટની સીમા 2.50 લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરી શકે છે. જો કે, આ એટલું સરળ નથી લાગી રહ્યું.
શું છે કારણ?
ન્યૂઝ એજન્સી આઇએએનએસ સૂત્રોનું માનીએ તો બેસિક આયકર છૂટની સીમા વધારવાથી અનેક લોકોને આયકર દાખલ કરવાની આવશ્યકતા નહીં હોય કે જેનાંથી આયકર દાખલામાં ઉણપ આવશે અને ટેક્સ બેસ વધારવાનો ઉદ્દેશ્ય વિફલ થઇ જશે. નિષ્ણાંતોએ પણ બજેટ પૂર્વ બેઠકમાં નાણાંમંત્રીને સલાહ આપી છે કે બેસિક આયકર છૂટની સીમામાં નફો કરવો એ જ સાચો નિર્ણય નથી કેમ કે નરેન્દ્ર મોદીની આગેવાની સરકારનું મુખ્ય ફોકસ દેશમાં ટેક્સપેયર્સનો આધાર વધારવાનો છે.
આ સિવાય ટેક્સ કલેક્શન અપેક્ષાથી ઓછું રહ્યું છે, જો કે આ કારણ પણ છૂટની સીમા વધારવાની કોઇ જ સંભાવના નથી. આ સાથે જ મંત્રાલય ટેક્સથી રેવન્યૂ વધારવા ઇચ્છે છે, કેમ કે વિકાસ દર અને ઉપભોગમાં વૃદ્ધિને માટે રોકાણની જરૂરિયાત છે.
અંતરિમ બજેટમાં આપ્યાં હતાં સંકેતઃ
1 ફેબ્રુઆરીનાં રોજ મોદી સરકારનાં કાર્યકાળનાં અંતરિમ બજેટ રજૂ કરતા ત્યારનાં નાણાંમંત્રી પીયૂષ ગોયલે મિડલ ક્લાસને ગિફ્ટ આપતા રૂપિયા 5 લાખ સુધીની કમાણીને ટેક્સની ઝંઝટથી મુક્ત કરી દીધા હતાં. આ સાથે જ તેઓએ નવી સરકારમાં ટેક્સ સ્લૈબમાં ફેરફારનાં પણ સંકેત આપ્યાં હતાં.