હોમ લોન લઈને ઘર ખરીદનારા લોકોને સરકાર બજેટમાં મોટી રાહત આપી શકે છે. હોમ લોનના વ્યાજ પર ઇન્કમ ટેક્સની છૂટ વધી શકે છે. હાલમાં કલમ 24 હેઠળ હોમ લોન પર ચુકવવાના વ્યાજ પર મહત્તમ ટેક્સ મુક્તિ 2 લાખ રૂપિયા છે. હાઉસિંગ મંત્રાલયે તેને વધારીને પાંચ લાખ કરવાની ભલામણ કરી છે.
1 ફેબ્રુઆરીએ રજૂ થવા જય રહેલા બજેટ 2020 માં ઘર ખરીદનારાઓ માટે વિશેષ ઘોષણાઓ થઈ શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બજેટમાં ઘર ખરીદનારાઓને વિશેષ રાહત આપી શકે છે. નાણામંત્રી બે પ્રકારની રાહત આપી શકે છે. પહેલી હોમ લોન સાથે મકાન ખરીદનારાઓ માટે અને બીજી ભાડાના મકાન માટે મહત્વની ઘોષણા થઇ શકે છે.
હોમ લોનના વ્યાજ પર ઇન્કમ ટેક્સની છૂટ વધી શકે છે
હોમ લોન લઈને ઘર ખરીદનારા લોકોને સરકાર બજેટમાં મોટી રાહત આપી શકે છે. હોમ લોનના વ્યાજ પર ઇન્કમ ટેક્સની છૂટ વધી શકે છે. હાલમાં કલમ 24 હેઠળ હોમ લોન પર ચુકવવાના વ્યાજ પર મહત્તમ ટેક્સ મુક્તિ 2 લાખ રૂપિયા છે. હાઉસિંગ મંત્રાલયે તેને વધારીને પાંચ લાખ કરવાની ભલામણ કરી છે. 5 લાખ રૂપિયા સુધીની છૂટ કદાચ ન પણ મળે પરંતુ થોડી રાહત મળે તેવી અપેક્ષા છે. એટલે કે હોમ લોનના વ્યાજ પર આવકવેરામાં વધુ મુક્તિ મળી શકે છે.
કલમ 80 સી હેઠળ હોમ લોનના પ્રિન્સિપલ ઉપર છૂટ
હોમ લોનના પ્રિન્સિપલ પર કોઈ છૂટ નથી. સેક્શન 80 સી હેઠળ તમે 1.50 લાખ રૂપિયા સુધી છૂટ મેળવી શકો છો. તેને પણ વધારવાની ભલામણ કરવામાં આવી છે. બની શકે કે સેક્શન 80 સી સિવાય એક અલગ સેક્શન બનાવવામાં આવે જે ફક્ત હોમ લોન માટે જ હોય.
એટલું જ નહીં, હોમ લોનમાંબે મકાનોની મર્યાદા પણ દૂર કરવામાં આવે તેવી સંભાવના છે. સરકાર ઘર ખરીદનારાઓને મહત્તમ રાહત આપવાનો પ્રયાસ કરશે જેથી રિયલ એસ્ટેટની મંદી દૂર થઈ શકે.