દેશમાં કોરોના વાયરસનો કહેર છે ત્યારે તેની વચ્ચે એવા સવાલો ઉઠીરહ્યાં છે કે શું આગામી દિવસોમાં બૅંકિંગ સેવાઓ ચાલુ રહેશે? જેનો જવાબ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આપી દીધો છે.
સીતારમણે કહ્યું કે તમામ બૅંક એ સુનિશ્ચિત કરી રહી છે કે તેમની બ્રાન્ચ ખુલ્લી રહે
હાલમાં જ બૅંકોએ પોતાનું ટાઈમ ટેબલ બદલ્યું હતું
કોરોના સંકટમાં ક્યાંક બૅંકિંગ સેવાઓ પણ ઠપ્પ થઈ જશે તેવા સવાલો ઊઠી રહ્યાં છે. હકીકતમાં કોરોનાને કારણે મોટા ભાગના સૅક્ટર્સ બંધ છે. બૅંકિંગ સૅક્ટરમાં પણ ખતરાને પહોંચી વળવા અમુક બદલાવ હાલ પૂરતા કરાયા છે. તેમ છતાં સવાલ ઉઠી રહ્યાં છે કે બૅક ખુલ્લી રહેશે કે નહીં? તેનો જવાબ આખરે નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું કે તમામ બૅંક એ સુનિશ્ચિત કરી રહી છે કે તેમની બ્રાન્ચ ખુલ્લી રહે. ATMમાં પૈસા ભરેલાં હોય અને કામ કરતા હોય. બૅંકિંગ સેવાઓ ચાલુ છે. સોશ્યલ ડિસ્ટન્સિંગનું સન્માન કરાય છે અને જ્યાં જરૂર પડે ત્યાં સેનેટાઈઝર આપવામાં આવી રહ્યાં છે.
PM મોદીએ માન્યો હતો આભાર
આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં રવિવારે કહ્યું હતું કે આપણે બૅંકર, ડિલીવરી બૉય, સફાઈકર્મીઓ અને એ તમામ લોકોના આભાર માનવો જોઈએ જે લૉકડાઉનમાં કામ કરી રહ્યાં છે.
બદલાયો હતો બૅંકોના ટાઈમ
હાલમાં જ કોરોના વાયરસને લઈને પ્રાઈવેટ સેક્ટરની બૅંકોએ પોતાનું ટાઈમ ટેબલ બદલ્યું હતું. મંગળવારે ICCI બૅંક, HDFC બૅંક સહિત તમામ પ્રાઈવેટ સૅક્ટરની બ્રાન્ચ સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. ટાઈમિંગ બદલવાની સાથે જ બૅંકિંગમાં પણ કેટલાંક બદલાવ કરાયા હતા.