ઈંધણના વધતા ભાવની વચ્ચે હવાઈ મુસાફરોને રાહત મળી શકે છે. સરકારે આ વાતના સંકેત આપ્યાં છે કે ઈંધણની કિંમતમાં ઘટાડો થઇ શકે છે. ખરેખર, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ જીએસટી પરિષદની આગામી બેઠકમાં ઈંધણને જીએસટી હેઠળ લાવવા માટે ચર્ચા કરવાની છે.
ઈંધણના વધતા ભાવની વચ્ચે હવાઈ મુસાફરોને રાહત મળી શકે
ઈંધણને જીએસટી હેઠળ લાવવા માટે ચર્ચા થાય તેવી શક્યતા
જીએસટીની આગામી બેઠકમાં ચર્ચા થાય તેવી શક્યતા
વૈશ્વિક સ્તરે ઈંધણની વધતી કિંમતો ચર્ચાનો વિષય
નાણાં પ્રધાને કહ્યું, વૈશ્વિક સ્તરે ઈંધણની વધતી કિંમતો ચર્ચાનો વિષય છે. એક જુલાઈ 2017ના રોજ જ્યારે જીએસટી પ્રણાલી લાગુ કરવામાં આવી હતી ત્યારે કેન્દ્ર અને રાજ્યોના એક ડઝન કરતા વસૂલાત, પાંચ જિન્સ- ક્રૂડ ઓઈલ, પ્રાકૃતિક ગેસ, પેટ્રોલ, ડીઝલ અને એટીએફ તેના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યાં હતા. જીએસટી પરિષદની આગામી બેઠકમાં એટીએફ પર કોઈ નિર્ણય થઇ શકે છે.
અંતિમ નિર્ણય પરિષદ લેશે
સીતારમણે એસોચેમની સાથે બજેટ બાદ થયેલી ચર્ચામાં કહ્યું, એટીએફને જીએસટીમાં સામેલ કરવા અંગે અંતિમ નિર્ણય પરિષદ લેશે. આ ફક્ત કેન્દ્રના હાથમાં નથી. તેને જીએસટી પરિષદની પાસે મોકલવામાં આવશે. પરિષદની આગામી બેઠકના વિષયોમાં તેનો સમાવેશ કરાશે. કારણકે તેની પર ચર્ચા થઇ શકે.
સ્પાઈસ જેટના સંસ્થાપકે આપ્યો પ્રસ્તાવ
સ્પાઈસ જેટના સંસ્થાપક અજય સિંહે એટીએફને જીએસટી હેઠળ લાવવાની દરખાસ્ત આપી છે. જેના પર નાણાં પ્રધાન સીતારમણે કહ્યું કે ઈંધણી વધતી કિંમતો ચિંતાનો વિષય છે. જેની પર વિચાર કરવામાં આવશે. સિંહે કહ્યું હતુ કે ક્રૂડ ઑઈલ 90 ડોલર સુધી પહોંચી ગયુ છે. ડૉલરની સરખામણીએ રૂપિયો 75ના સ્તરે છે. એવામાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર વધુ પ્રભાવિત થયો છે. એટીએફને જીએસટી હેઠળ લાવવા માટે તમારું સમર્થન વધુ મદદગાર થશે.