પ્રકાશ જાવડેકરે રાહુલ ગાંધીના મૌન પર સવાલ ઉઠાવતા પ્રહાર કર્યા હતા. જાવડેકરે આરોપ લગાવ્યો હતો કે જે લોકો હાથરસની ઘટના અંગે વાત કરી રહ્યા છે તે ટાંડાની ઘટના પર શા માટે સંપૂર્ણ મૌન ધારણ કરીને બેઠા છે?
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા રાહુલ ગાંધી પર વરસ્યા
પંજાબમાં બાળકી પર દુષ્કર્મની ઘટના પર ઉઠાવ્યા સવાલો
રાહુલ ગાંધીના મૌન પર નાણામંત્રીના તીખા સવાલો
યુપીમાં હાથરસ માં સામૂહિક દુષ્કર્મની ઘટના અંગે કોંગ્રેસ ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એ આક્રમક નિવેદનો આપ્યા હતાં. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેની બહેન અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી સાથે પીડિતાના પરિવારને મળવા માટે હાથરસ ગયા હતા. જો કે બિહારમાં રહેતા દલિત પરિવારની પુત્રી પર પંજાબમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. આના પર ભારતીય જનતા પાર્ટી BJP એ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કોંગ્રેસ ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે ટ્વીટર ફ્રેન્ડલી કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીસીતા એ આ ઘટના પર એક વિષે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં કહ્યું કે ત્યાં કોઈ ટ્વીટ નથી, કોઈ નારાજગી નથી અને કોઈ પીકનીક પણ નથી. નાણામંત્રીએ સાથે જ જણાવ્યું હતું કે કોંગ્રેસે આ ઘટના વિષે જવાબ આપવા માટે સામે આવવાની જરૂર હતી.
Not a word from the tweet-friendly leader Shri Rahul Gandhi. No tweets on this (Hoshiarpur rape incident), no outrage on this, & no picnic on this. A woman heads the party. Does this kind of selective outrage suits the stature of their party: Nirmala Sitharaman, BJP pic.twitter.com/0YKStYGsKy
નાણામંત્રી એ બિહાર માં કોંગ્રેસ સાથે જોડાણમાં ચૂંટણી લડી રહેલા રાષ્ટ્રીય જનતા દળ RJD ના નેતા તેજસ્વી યાદવ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે તેજસ્વી યાદવને પૂછ્યું કે શું તમે બિહાર થી પંજાબ ગયેલા પરિવારના પ્રત્યે જવાબદાર નથી? કેન્દ્રીય નાણાં પ્રધાને કહ્યું કે, ભાજપ તે બધા લોકોની સાથે ઉભું રહેશે, જે પંજાબમાં આ પરિવારને ન્યાય અપાવવા માંગે છે.
ભાજપ સુનિશ્ચિત કરશે, કે તેમને ન્યાય મળે: નાણામંત્રી
તેમણે કહ્યું કે વિજય સાંપલા ત્યાં ગયા હતા. ભાજપ સુનિશ્ચિત કરશે કે તેને સમયસર ન્યાય મળે. આ અગાઉ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પણ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધી ના મૌન પર સવાલ ઉઠાવતા જાવડેકરે આરોપ લગાવ્યો હતો કે જે લોકો હાથરસ ની ઘટનાની વાત કરે છે તે ટાંડાની ઘટના પર સંપૂર્ણ મૌન છે. તેણે તેજસ્વી યાદવ પર પણ નિશાન સાધ્યું હતું.કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે તેજસ્વી યાદવ પણ આ ઘટના અંગે મૌન છે અને કોંગ્રેસ સાથે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.
શું હતી ઘટના?
નોંધનીય છે કે પંજાબ ના હોશિયારપુર જિલ્લાના ટાંડામાં મૂળ રીતે બિહારની એક દલિત યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. દુષ્કર્મ બાદ ટાંડામાં છ વર્ષની બાળકીને બાળી નાખવાની ઘટના સામે આવી છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ પણ કરી હતી. યુવતી બિહારની રહેવાસી હોવાનું કહેવાય છે.