જયશંકર મોસ્કોમાં રશિયાનાં વિદેશમંત્રી લાવરોવની સાથેની બેઠકમાં ઉદગાટન વકત્વ્યમાં કહ્યું કે 'યુક્રેન યુદ્ધ અમારા માટે મોટો મુદો્ છે. ' 'ભારત દ્રઢતાથી માને છે કે બંને દેશોએ વાતચીતનાં માર્ગ પર ફરી આવવું જોઇએ.'
જયશંકરે મોસ્કોમાં યુક્રેન સંઘર્ષ પર કરી વાત
વૈશ્વિક મુદા્ઓ માટે વિદેશમંત્રી લાવરોવ સાથે કરી બેઠક
ભારત અને રશિયાનાં સંબંધો પર કરી ચર્ચા
મોસ્કો: યુક્રેન યુદ્ધ બાદ પહેલીવાર રશિયાની યાત્રા પર પહોંચેલ ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે 'યુક્રેન સંઘર્ષ ભારત માટે એક મોટો મુદો્ છે. તેમણે કહ્યું કે આ સંઘર્ષની વચ્ચે ભારત અને રશિયાની સરકાર વચ્ચે મજબૂત સંપર્ક બનેલો હતો.' જયશંકરે રશિયાનાં વિદેશમંત્રી સર્ગેઇ લાવરોવ સાથેની બેઠક પહેલાં પણ કહ્યું કે 'વિભિન્ન સ્તરો પર અમારી સરકારોની વચ્ચે મજબૂત અને સતત સંપર્ક રહ્યો છે.' 'ભારત દ્રઢતાથી માને છે કે બંને દેશોએ વાતચીતનાં માર્ગ પર ફરી આવવું જોઇએ.' જયશંકરે યુક્રેન-રશિયા યુદ્ધ મુદે વાત કરી.
બેઠક વૈશ્વિક પરિસ્થિતિમાં એકબીજાનાં દ્રષ્ટિકોણ સમજવા માટે છે- જયશંકર
મોસ્કોમાં વિદેશમંત્રીએ કહ્યું કે ,આ બેઠકનો બીજો અર્થ ન નિકાળવો જોઇએ. અમારી આ બેઠક અમારાં સંબંધોનાં આકલન કરવા અને વૈશ્વિક પરિસ્થિતિઓ પર એકબીજાનાં દ્રષ્ટિકોણ સમજવા માટે છે. અમારી વાતચીતમાં સમગ્ર વિશ્વની સ્થિતિ અને વિશિષ્ટ ક્ષેત્રિય ચિંતાઓ પર ધ્યાન આપવામાં આવશે.'
रूस के साथ हमारे महत्वपूर्ण और समय-परीक्षणित संबंध हैं। हम इस संबंध का विस्तार करने और इसे और अधिक टिकाऊ बनाने के तरीके खोजने की कोशिश कर रहे हैं। हमने उन क्षेत्रों पर चर्चा की जहां दोनों देशों के बीच स्वाभाविक हित हैं: एक प्रेस वार्ता के दौरान विदेश मंत्री एस जयशंकर pic.twitter.com/C4NvebZvod
યુક્રેન સંઘર્ષ અમારા માટે અગત્યનો મુદો્ છે- જયશંકર
ભારતીય વિદેશમંત્રીએ કહ્યું કે 'જ્યાં સુધી દ્વિપક્ષીય સંબંધોની વાત છે અમારો ઉદેશ્ય એક સમકાલીન, સંતુલિત, પરસ્પર લાભકારી અને લાંબા સમયની ભાગેદારીનાં નિર્માણનો છે.' જયશંકરે કહ્યું કે યૂક્રેન સંઘર્ષ તેમના માટે મહત્વનો મુદો છે. વધુમાં તેમણે કહ્યું કે કોવિડ, વ્યાપાર સંબંધિત મુશ્કેલીઓએ વૈશ્વિક અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરી છે. પરંતુ હવે અમે યૂક્રેન સંઘર્ષનાં પરિણામોને આ મુદે સૌથી ટોંચ પર જોઇ રહ્યાં છીએ.
બંને દેશોની સરકાર પર કરી વાત
જયશંકરે કહ્યું કે 'ભારત, રશિયા ઝડપથી બહુધ્રુવીય અને પુન:સંતુલિત થઇ રહેલી દુનિયામાં એકબીજાની સાથે ભાગેદારી કરી રહી છે. અમે બંને એવી સરકારો છીએ કે જેમની વચ્ચે અત્યંત સ્થાયી અને સમયની કસૌટી પર પાર ઊતરેલ સંબંધો છે. '