નાણા મંત્રી નિર્મલા સીતારામણે પીએમ મોદીના કર્યા વખાણ
કહ્યું- પીએમ મોદીના સાહસને કારણે રશિયાની ક્રૂડ આયાત 2થી વધીને 12 ટકા થઈ
પીએમ મોદી રશિયા-યુક્રેન યુદ્ધ વખતે રશિયાની ક્રૂડની આયાત વધારી હતી
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીમાં વધારો કરવાના વડા પ્રધાન મોદીના નિર્ણયને ખૂબ જ સાહસિક પગલું ગણાવીને વખાણ્યા છે. વાસ્તવમાં ભારતે રશિયા-યુક્રેન સંકટ બાદ સરકારે કાચા તેલની કિંમતોમાં લાગેલી આગની અસરને ઓછી કરવા માટે રશિયા પાસેથી સસ્તા દરે તેલની ખરીદી વધારી દીધી છે. રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા બાદ કાચા તેલની કિંમતોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જેની અસર ભારત સહિત દુનિયા પર પડી છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલ પોતાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. સાથે જ શ્રીલંકા અને પાકિસ્તાન જેવી અર્થવ્યવસ્થા વિનાશની નજીક છે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર આવી સ્થિતિમાં વડાપ્રધાનનો નિર્ણય દબાણ ઘટાડવામાં મદદરૂપ સાબિત થયો છે.
રશિયાથી ક્રૂડ ઓઈલની આયાત 2 ટકાથી વધીને 12 ટકા થઈ
નાણામંત્રીએ એક કાર્યક્રમમાં કહ્યું કે કાચા તેલને લઈને સર્જાયેલી પરિસ્થિતિમાં રાજકીય સ્તરે ખૂબ જ મજબૂત પગલાં ભરવાની જરૂર છે અને તે વડાપ્રધાન મોદીના આ સાહસિક નિર્ણયનું સન્માન કરે છે જેમાં તેમણે રશિયામાંથી છૂટથી તેલ ખરીદવાની લીલીઝંડી આપી હતી. પડકારો વચ્ચે પણ રશિયાથી ભારતની તેલ આયાત 2 ટકાથી વધીને હવે 12 ટકા થઈ ગઈ છે.સીતારામણે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વના કારણે આપણે એક તરફ રશિયા પાસેથી તેલ મેળવી શકીએ છીએ અને બીજી તરફ દુનિયા સાથે સંબંધો પણ જાળવી શકીએ છીએ.
#WATCH | I respect the PM for his courage to get it (crude oil) from Russia because they are willing to give on discount... our entire import had 2% of Russian component, it was ramped up to 12-13% within a couple of months: Finance Minister Nirmala Sitharaman, in Delhi pic.twitter.com/xmRFptKXgb
યુક્રેન યુદ્ધ વચ્ચે દુનિયાના દેશોએ ક્રૂડ ખરીદવાનું બંધ કર્યું હતું
ઉલ્લેખનીય છે કે યુક્રેન યુદ્ધ વખતે દુનિયાના ઘણા દેશોએ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરી દેવાયું હતું જેનાથી તેની ઈકોનોમીને ફટકો પડે અને રશિયા યુદ્ધ બંધ કરી પરંતુ ભારતે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ચાલુ રાખી હતી અને આ વાતનો ઉલ્લેખ કરીને સીતારામણે પીએમ મોદીના વખાણ કર્યાં હતા.