નાણા મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે દેશની આર્થિક સ્થિતિ પર એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી. એમણે કહ્યું કે આપણો વિકાસ દર બીજા કરતા સારો છે. હાલ અમેરિકા અને જર્મનીના વિકાસદરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
US અને ચીન ટ્રેડ વોરની અસર
દુનિયાભરના દેશ મંદીનો સામનો કરી રહ્યા છે. વર્તમાન ગ્લોબલ જીડીપી દર 3.4 ટકા છે. અમેરિકા અને ચીનના વ્યાપાર યુધ્ધની પણ અસર પડી રહી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે અમે શ્રમ સુધાર કર્યા છે. તમે પર્યાવરણ મંજૂરીની આપણી ઝડપ જોઇ શકો છો. અમે ટેક્સ જમા કરાવવાની પ્રક્રિયા (ITR)સરળ બનાવી છે. સુધારાની પ્રક્રિયા ચાલી રહી છે. GSTને હજુ વધારે સરળ બનાવામાં આવશે.
ટેક્સ નોટિસ માટે કેન્દ્રીય સિસ્ટમ
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે જ્યાં શંકા હશે, ત્યાં તપાસ થશે. 48 કલાકમાં તપાસ રિપોર્ટ અપલોડ કરવામાં આવશે. એમણે કહ્યું કે સરકાર પર આરોપ લાગી રહ્યા છે કે ટેક્સને લઇને સરકાર લોકોને પરેશાન કરી રહી છે. કંપની એક્ટ હેઠળ 14000 મામલા પાછા લીધા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાણાંમત્રીએ મોટુ એલાન કરતા કહ્યું કે કોર્પોરેટ સોશિયલ જવાબદેહી કાનૂનમાં ઢીલ આપવામાં આવશે. ટેક્સ નોટિસ માટે કેન્દ્રીય સિસ્ટમ હશે અને ટેક્સ માટે કોઇને પરેશાન નહીં કરવામાં આવે. નાણાંમંત્રીએ કહ્યું કે 1 ઓક્ટોબરથી કેન્દ્રીય સિસ્ટમથી નોટિસ મોકલવામાં આવશે. જથી ટેક્સ ઉત્પીડનની ઘટનાઓ પર રોક લાગશે.
સીએસઆર (CSR)નું ઉલ્લંઘન ગૂનો નહીં માનવામાં આવે. હવે મામલાઓને લટકાવીને રાખવામાં આવશે નહીં. અત્યાર સુધીની નોટિસ પર તમામ કાર્યવાહી એક ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થશે. જ્યારે અન્ય મામલાઓમાં જવાબ ત્રણ મહીનાની અંદર પૂર્ણ કરવામાં આવશે. નાણા મંત્રીએ કહ્યું કે કેપિટલ ગેન પર સરચાર્જ પણ પાછો લેવાશે. શેર બજારમાં કેપિટલ ગેન્સ અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ (FPI) પર સરચાર્જ નહીં લેવામાં આવશે નહીં.
નાણામંત્રીના મોટા એલાન
1 શેયર બજારમાં કેપિટલ ગેન્સથી સરચાર્જ હટશે
2 સ્ટાર્ટ અપ માટે અલગ સેલ બનશે
3 લોન એપ્લાઇની ઓનલાઇન દેખરેખ કરવામાં આવશે
4 લોન ક્લોઝ થયા બાદ સિક્યોરિટી રિલેટેડ ડોક્યૂમેન્ટ બેન્કોને 15 દિવસની અંદર આપવા પડશે