નાણામંત્રી નિર્મલા સીતારમણની એક ઑડિયો ક્લિપ વાયરલ થઇ છે જેમા તેઓ ભારતીય સ્ટેટ બેન્કને ફટકાર લગાવતા તેને 'નિર્દય બેન્ક' બતાવી રહી છે. આ ઘટના એ સમયની છે જ્યારે થોડા દિવસો પહેલા એસબીઆઇ (SBI) ના ફાઇનાન્શિયલ આઉટરીજ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે ગુવાહાટી ગયા હતા.
નાણામંત્રી નિર્મલા સીતારમણની એક ઑડિયો ક્લિપ વાયરલ થઇ છે
નિર્મલા સીતારમણે SBIને ફટકાર લગાવતા કહ્યું, મને એ ન બતાવો કે આપ સૌથી મોટી બેન્ક છો
કાર્યક્રમમાં એસબીઆઇના ચેરમેન રજનીશ કુમાર અને વિભિન્ન બેન્કોના પ્રમુખ પણ પહોંચ્યા હતા. એ સમયની એક ઑડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. ઑડિયો ક્લિપમાં નિર્મલા સીતારમણ ચાના બગીચાના કામદારોને લોન મળવામાં પડી રહેલી મુશ્કેલીઓને જાણીને નારાજ છે. તેઓ કહી રહ્યા છે, ''મને એ ન બતાવો કે આપ સૌથી મોટી બેન્ક છો, આપ નિર્દય બેન્ક છો.''
આ દરમિયાન એસબીઆઇએ એફડી ડિપોઝિટરોના માટે એક મહીનામાં બીજી વાર ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ ઘટાડી દીધું છે. નવા દર 10 માર્ચથી લાગુ થઇ જશે. આ પહેલા એસબીઆઇએ 10 ફેબ્રુઆરીએ એફડી પર વ્યાજદર ઘટાડ્યો હતો. એસબીઆઇ દ્વારા એફડી પર વ્યાજદર ઘડાટ્યા બાદ બીજી બેન્કો પણ એફડી પર વ્યાજદર ઘટાડી શકે છે.
SBIએ FD વ્યાજદરોમાં કર્યો ઘટાડો
એસબીઆઇએ જે નિર્ણય લીધા છે તે અનુસાર એસબીઆઇની 7થી 45 દિવસોની એફડી પર 4 ટકા વ્યાજ મળશે. પહેલા 4.5 ટકા વ્યાજ મળતું હતું. આ પ્રકારે એક વર્ષથી લઇને પાંચ વર્ષથી ઓછી સમય મર્યાદા માટે 5.9 ટકા વ્યાજ મળશે. જ્યારે પહેલા 6 ટકા વ્યાજ મળતું હતું. 5 વર્ષથી લઇને 10 વર્ષ સુધી એફડી પર હજુ પણ 5.9 ટકા વ્યાજ મળશે. પહેલા આ દર 6 ટકા હતો.
જોકે, ગત દિવસોએ એસબીઆઇએ સેવિંગ એકાઉન્ટ એટલે કે બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ રાખવાનો નિયમ ખતમ કરી દીધો છે. આ નિર્ણય બાદ બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ નહીં રાખવા પર કોઇ ચાર્જ નહીં લાગે. બેન્કે કહ્યું છે કે આ પગલાથી લગભગ 44.51 કરોડ ખાતાધારકોને ફાયદો થશે. પહેલા SBIના ગ્રાહકોને મેટ્રો શહેરોમાં 3000 રૂપિયા, સેમી-અર્બનમાં 2000 રૂપિયા અને ગ્રામ વિસ્તારોમાં 1000 રૂપિયા એવરેજ મંથલી બેલેન્સ રાખવું પડતું હતું. આમ ન કરવા પર બેન્ક 5થી 15 રૂપિયા સુધીનો દંડ લગાવતી હતી, સાથે જ ટેક્સ પણ ચાર્જ કરતી હતી.
SMS ચાર્જ પણ હટાવાયો
એસબીઆઇ પોતાના ગ્રાહકોને વધુ એક રાહત આપી છે. બેન્કે એસએમએસ ચાર્જ હટાવવાનો નિર્ણય લીધો છે. બેન્કના આ એલાનથી તમામ ગ્રાહકોને ફાયદો મળશે.
આ પહેલા એસબીઆઇએ એફડીનો વ્યાજદર ઘટાડી દીધો છે. 2 કરોડ રૂપિયાથી ઓછી રિટેલ એફડી પર વ્યાજ દર 7-45 દિવસથી 5-10 વર્ષ ની સમયમર્યાદા માટે 0.50 ટકા ઘટાડી દેવાયો છે. આ નવા દરો 10 માર્ચથી લાગુ થઇ ગયા છે. એસબીઆઇએ એમસીએલઆરમાં પણ ઘટાડો કર્યો છે, જેનાથી લોન લેવી સસ્તી થઇ ગઇ છે. બેન્કે વિભિન્ન સમયમર્યાદા માટે એમસીએલઆરમાં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. આ પણ 10 માર્ચથી લાગુ થઇ ગયો છે. વર્તમાન નાણાકીય વર્ષમાં એસબીઆઇએ સતત 10મી વાર એમસીએલઆરમાં ઘટાડો કર્યો છે.