નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કરદાતા રાષ્ટ્ર નિર્માતા છે અને સરકારે તેમને અધિકાર પત્ર જાહેર કરે છે. મંત્રીએ કહ્યું કે સરકારે ઈમાનદાર કરદાતાઓ માટે વસ્તુઓને સરળ બનાવવા માટે સરળતા, પારદર્શિતા અને દરોને સહેલા બનાવવા માટે અનેક ઉપાય કર્યા છે.
ભારતીય કરદાતાઓને વધારે સારી સુવિધાઓની જરુર છે
ભારતીય કરદાતાઓ માટે અમે એક અધિકાર પત્ર લાવીશુ
દુનિયામાં ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકા જેવા થોડાક જ દેશો છે
તેમણે કહ્યું કે મને એ વાતનો આનંદ છે કે પીએમની આગેવાનીમાં સરકાર ઈમાનદારીથી એ વિચારી રહી છે કે ભારતીય કરદાતાઓને વધારે સારી સુવિધાઓની જરુર છે. એક જાહેરાત છે જેના વિશે વિસ્તારથી નહીં જણાવુ. આ એક ભારતીય કરદાતાઓ માટે અમે એક અધિકાર પત્ર લાવીશું. નાણા મંત્રીએ શાસ્ત્ર વિશ્વવિદ્યાલય દ્વારા પ્રખ્યાત ન્યાયવિદ નાની પાલખીવાલા પર આયોજિત શતાબ્દી સમારોહને સંબોધિત કરતા આ વાત કરી હતી.
તેમણે કહ્યું કે દુનિયામાં ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકા જેવા થોડાક જ દેશો છે જ્યાં કરદાતાઓ માટે અધિકાર પત્ર છે. નાણા મંત્રીએ કહ્યું કે આ જેટલી સ્પષ્ટતાથી રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી દર્શાવે છે તેટલી જ સ્પષ્ટતાથી અધિકારોનો પણ ઉલ્લેખ કરે છે. અમે આ માટે પ્રયાસ કરી રહ્યા છીએ. મે આત્મનિર્ભર ભારત હેઠળ જાહેરાત કરી હતી. અમે કરદાતાઓને તેમના અધિકારોનું ઘોષણા પત્ર ઉપલબ્ધ કરાવવા માટે ઘણા ગંભીર છીએ.
બજેટમાં કરદાતાઓના ચાર્ટરની જાહેરાત કરી હતી. આનાથી સંવિધાનીક અધિકારો મળવાની આશા છે અને આ નાગરિકોને આયકર વિભાગ દ્વારા સમયબદ્ધ રીતે સેવા સુનિશ્ચિત કરશે. સીતારમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરદાતાઓને રાષ્ટ્ર નિર્માતા કહ્યા છે અને એક ઈમાનદાર કરદાતા દેશના નિર્માણમાં મદદ કરે છે. તેમણે કહ્યુ કે તે સરકારોને સામાજિક કલ્યાણની યોજનાને આગળ વધારવામાં મદદ કરે છે. જે વાસ્તવમાં ગરીબોની આજીવિકા માટે ખૂબ મહત્વપૂર્ણ છે.