દેશમાં વધતા કોરોનાના કારણે અનેક વિસ્તારોમાં પાબંધી લાગી રહી છે ત્યારે નાણામંત્રી સીતારમણે કહ્યું છે કે કેન્દ્ર સરકારનો વ્યાપક સ્તરે લોકડાઉનનો કોઈ પ્લાન નથી.
સરકારને દેશના ગરીબોની છે ચિંતા
નહીં લાગે દેશમાં કોઈ લોકડાઉનઃ સીતારમણ
જાણો શું છે સરકારનો પ્લાન
નાણામંત્રીએ કહ્યું કે સરકારનો હાલમાં વ્યાપક સ્તરે લોકડાઉન કરવાનો કોઈ પ્લાન નથી, મહામારીને રોકવા માટે સ્થાનિક સ્તરે નિયંત્રણ માટે ખાસ પગલાં લેવાઈ રહ્યા છે અને લેવાશે.
ઉદ્યોગોને નાણામંત્રીની ખાસ સલાહ
નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું કે તેઓએ ભારતમાં કોરોના પ્રકોપને રોકવા માટે અલગ અલગ ઉદ્યોગ સંગઠનની સલાહ લીધી છે અને કેન્દ્ર સરકાર રાજ્યોની સાથે મળીને તેમની આજીવિકા બનાવવા માટે કામ કરતી રહેશે. તેઓએ એમ પણ કહ્યું કે કોરોના વાયરસની મહામારીની બીજી લહેરથી દેશની અર્થવ્યવસ્થાને નુકસાનથી બચાવવા માટે કેટલાક કારોબારીના સૂચનો પણ માંગવામાં આવ્યા છે.
Spoke on telephone with each of the following business/Chamber leaders. Took their inputs on industry/Association related matters. Informed them that GoI at various levels from @PMOIndia is responding to #Covid management. Working together with states for lives and livelihoods.
ગયા વર્ષે પહેલી તિમાહીમાં આવી રહી અર્થવ્યવસ્થા, નાણામંત્રીની ઉદ્યોગ જગત સાથે ચર્ચા
કોરોના વાયરસની મહામારીના કારણે ગયા વર્ષે પહેલી તિમાહીમાં અર્થવ્યવસ્થામાં 23.9 ટકાનું સંકોચન જોવા મળ્યું હતું. નાણામંત્રીએ સીઆઈઆઈ પ્રમુખ ઉજય કોટક, ફિક્કીના અધ્યક્ષ ઉદય શંકર અને એસોચૈમના અધ્યક્ષ વિનિત અગ્રવાલ સહિત ઉદ્યોગ સંઘના પ્રમુખ સાથે વાત કરી છે. આ સિવાય તેઓએ ટાટા સ્ટીલના ટીવી નરેન્દ્રન, એલએન્ડટીના અધ્યક્ષ એ એમ નાઈક, ટીસીએસના રાજેશ ગોપીનાથન, મારુતિ સુઝુકીના આર સી ભાર્ગવ, ટીવીએસના વેણુ શ્રીનિવાસન અને હીરો મોટો કોર્પના પવન મુંજાલ સહિત અનેક કારોબારી પ્રમુખ સાથે કોવિડના વધતા કેસને લઈને વાત કરી હતી.
T R Parasuraman, Bangalore Chamber of Commerce
Nathubhai Patel @500Gujarat
Srivats Ram, Madras Chamber of Commerce
K M Naik Chairman, L&T
SN Subrahmaniam, CEO L&T,
Sangita Reddy @HospitalsApollo
Rajesh Gopinathan @TCS
RC Bhargava @Maruti_Corp
Pawan Munjal @HeroMotoCorp
નાણામંત્રીએ લોકડાઉનને લઈને કરી સ્પષ્ટતા
ઉલ્લેખનીય છે કે નાણાંમંત્રીએ ગયા અઠવાડિયે સ્પષ્ટ કર્યું હતું કે સરકાર મોટા પાયે લોકડાઉન નહીં લાવે અને ફક્ત કોરોનાની શ્રુંખલાને તોડવા માટે સ્થાનીય સ્તરે રોક લગાવવામાં આવી શકે છે.
કોરોનાની બીજી લહેર બની છે બેકાબૂ
ભારતમાં કોરોના સંક્રમણની લહેર બેકાબૂ બની છે. દેશમાં એક તરફ જ્યાં કોરોનાના દર્દીનો ગ્રાફ વધી રહ્યો છે ત્યાં મોતની સંખ્યા વધી રહી છે.