દેશમાં વિશ્વનાં આકારની મોટી બેંક ઉભી કરવા માટે મોટા ભાગની જાહેર ક્ષેત્રની બેંકનું વિલીનીકરણ કરવામાં આવશે. ગયા વર્ષે જ દેના બેંક અને વિજયા બેંકનું બેંક ઓફ બરોડામાં વિલીનીકરણ કરવામાં આવ્યું હતું. હવે પહેલી એપ્રિલથી પણ ઢગલાબંધ બેંકનું વિલીનીકરણ કરવામાં આવશે.
ચાર મોટી બેંક બનાવવા માટે જાહેર ક્ષેત્રની 10 બેંકનું વિલીનીકરણ કરવામાં આવશે
યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાનું ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ બેંકમાં વિલીનીકરણ
કેન્દ્ર સરકાર આ મુદ્દે સતત સંબંધિત બેંકનાં સંપર્કમાં
ભારત સરકાર તરફથી ગયા વર્ષે જાહેરાત કરવામાં આવી હતી કે ચાર મોટી બેંક બનાવવા માટે જાહેર ક્ષેત્રની 10 બેંકનું વિલીનીકરણ કરવામાં આવશે. બેંકોનાં વિલીનીકરણનાં નિર્ણય બાદ જાહેર ક્ષેત્રની બેંકની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2017માં જાહેર ક્ષેત્રની બેંકની સંખ્યા 27 હતી જે ઘટીને 12 રહી ગઈ હતી. હવે એપ્રિલ મહિનાથી વધુ બેંકનું વિલીનીકરણ કરવામાં આવશે.
યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાનું ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ બેંકમાં વિલીનીકરણ કરવામાં આવશે. જયારે સિન્ડીકેટ બેંકનું કેનરા બેંકમાં, ઇલાહાબાદ બેંકનું ઈન્ડિયન બેંકમાં તથા આંધ્રબેંકનું કૉર્પોરેશન બેંકમાં વિલીનીકરણ કરવામાં આવશે. નોંધનીય છે કે ગયા વર્ષે જ દેના બેંક અને વિજયા બેંકનું બેંક ઓફ બરોડામાં વિલય કરી દેવામાં આવ્યું હતું.
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંબોધનમાં કહ્યું કે જાહેર ક્ષેત્રની 10 બેંકનાં વિલીનીકરણની પ્રક્રિયા ચાલુ છે જેને કેન્દ્રિય મંત્રીમંડળે મંજૂરી પણ આપી દીધી છે. વધુમાં તેમણે કહ્યું કે આ નિર્ણય એક એપ્રિલથી લાગુ કરી દેવામાં આવશે. સાથે જ કેન્દ્ર સરકાર આ મુદ્દે સતત સંબંધિત બેંકનાં સંપર્કમાં છે.
આ બેંકનાં વિલીનીકરણનો મુખ્ય ઉદ્દેશ વિશે નાણામંત્રીએ કહ્યું કે બેંકનાં વિલીનીકરણનું કામ પાટા પર છે, જે તે બેંકનાં નિર્દેશક મંડળે પહેલાં જ તેને મંજુરી આપી દીધી છે. વિલીનીકરણનો મુખ્ય ઉદ્દેશ વિશ્વનાં આકારની મોટી બેંક ઉભી કરવાનો છે.