ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ મોદી સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જોકે કોંગ્રેસ આરબીઆઇના આ નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યો છે. જેના પર નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કોંગ્રેસ દ્વારા આરબીઆઇના નિર્ણય પર સવાલ ઉભા કરવો દુર્ભાગ્યપૂર્ણ છે.
નાણામંત્રીએ કહ્યું છે કે કોંગ્રેસ આરબીઆઇની છબિને કલંકિત ન બનાવે. સાથે જ આરબીઆઇના પૈસા પર સરકાર શું ઉપયોગ કરશે. તેના પર કંઇપણ બતાવવાથી નિર્મલા સીતારમણે ઇનકાર કર્યો છે.
નિર્મલા સીતારમણે કહ્યું કે આરબીઆઇના પૈસાના ઉપયોગ પર હાલ કશું જણાવી નહીં શકું. એમણે કહ્યું કે પૈસાના ઉપયોગ પર હાલ નિર્ણય કરવામાં આવ્યો નથી. સાથે જ નિર્મલા સીતારમણે કહ્યું કે જીએસટી ઘટાડવો તેમના હાથમાં નથી. જીએસટી પર નિર્ણય જીએસટી કાઉન્સિલ કરશે.
Finance Min Nirmala Sitharaman on Rahul Gandhi's tweet on RBI: Whenever Rahul Gandhi raises things like 'chor,chori,' one thing comes to my mind, he tried his best 'chor, chor,chori,' but public gave him befitting reply. What's the point of using the same words again? pic.twitter.com/qyccEFFfos
ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ કેન્દ્ર સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બોર્ડે બિમલ જાલાન કમિટીની ભલામણો મંજૂર કરી હતી. સોમવારે યોજાયેલ બેઠક બાદ આરબીઆઇએ કહ્યું કે બોર્ડે મોદી સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે.
બીજી તરફ નિર્મલા સીતારમણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વિટ પર જવાબ આપતા કહ્યું કે જ્યારે પણ રાહુલ ચોરીની વાત કરે છે તો મારા મગજમાં એક જ વાત આવે છે. એમણે ચૂંટણીમાં ચોરીની વાત કરી હતી પરંતુ જનતાએ તેમને જવાબ આપ્યો હતો. હવે એ શબ્દનો ફરીથી ઉપયોગ કરવાનો શું ફાયદો.
વાત એમ છે કે, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વડાપ્રધાન અને નાણામંત્રીએ જે આર્થિક સંકટ પેદા કર્યું છે, તેને ખતમ કરી શકતા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે હવે આરબીઆઇથી ખજાનાની ચોરી કામ નહીં આવે. આ કોઇ ડિસ્પેન્સરીથી બેન્ડ-એડ ચોરી ગોળીના ઘાવ પર લગાવવા જેવુ છે, જે કામ નહીં આવે.