યસ બેંકને લઈ એક મહત્વપૂર્ણ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. કેબિનેટે યસ બેંકના રિસ્ટ્રક્ચર પ્લાનને મંજૂરી આપી છે. સરકારે એક મહત્વનો નિર્ણય લેતા શેરહોલ્ડરોના શેરને ત્રણ વર્ષના લોક-ઈન પીરિયડમાં રાખવાનો નિર્ણય કર્યો છે. તો યસ બેંકનો 49 ટકા હિસ્સો SBI ખરીદશે.
યસ બેંકને લઈ કેન્દ્રીય કેબિનેટમાં મહત્વનો નિર્ણય
યસ બેંકના રિસ્ટ્રક્ચર પ્લાનને સરકારની મંજુરી
SBI કરશે યસ બેંકમાં 49 ટકા રોકાણ
યસ બેંકમાં SBIએ દાખવેલા રસને કેન્દ્રએ મંજૂરી આપી દીધી છે. આ સાથે જ કોઈ જ ખાતેદારને નુકસાન નહીં થાય તેનો વિશ્વાસ સરકારે આપ્યો છે. સરકારના નિર્ણયને કારણે યસ બેંકના શેરમાં વધારો થઈ શકે છે.
સંકટમાં ફસાયેલી યસ બેંકને બચાવવા માટે SBIએ જે પ્લાન તૈયાર કર્યો છે તે હેઠળ 12,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. એટલું જ નહીં ભારતીય સ્ટેટ બેંકે RBIએ જે પ્રસ્તાવ મોકલ્યો છે તે પ્રાઇવેટ સેક્ટરમાં બેંકો સિવાયના કારોબારી રાધાકિશન દમાની, રાકેશ ઝુનઝુનવાલા અને અજીમ પ્રેમજી ટ્રસ્ટ દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે.
RBIના પ્રશાસક નિયુક્ત કરાયા
#WATCH Union Ministers Nirmala Sitharaman, Piyush Goyal, & Prakash Javadekar brief media on union cabinet decisions. https://t.co/6SCETLczDs
સમગ્ર મામલા સાથે જોડાયેલા સૂત્રોનો હવાલો આપતા ઇકોનોમિક ટાઇમ્સે પોતાના અહેવાલમાં આ જાણકારી આપી છે. ભારતીય સ્ટેટ બેંકના પ્લાન અનુસાર, યસ બેંકના નવા CEO તરીકે પ્રશાંત કુમારને જવાબદારી સોંપવામાં આવશે. જેઓ હાલ RBIના પ્રશાસક નિયુક્ત કરવામાં આવ્યા છે.
Finance Minister Nirmala Sitharaman on Yes Bank reconstruction: The moratorium will be lifted within 3 days of notifying the scheme. A new board, having at least 2 directors of SBI, will take over within 7 days of the issuance of notification. https://t.co/24yXhLfYZspic.twitter.com/JA2NjMn9JJ
નાણાં મંત્રી નિર્મલા સીતારામને એમ પણ કહ્યું હતું કે મૂડી આવશ્યકતાઓને તાત્કાલિક અને પછીના સમયમાં વધારવા માટે અધિકૃત મૂડી 1100 કરોડ રૂપિયાથી વધારીને 6200 કરોડ કરવામાં આવી છે.
નાણાં મંત્રીએ કહ્યું કે, યસ બેંકની પુનર્ગઠન યોજનાને સૂચિત કર્યાના 3 દિવસની અંદર હાલના નિયંત્રણો દૂર કરવામાં આવશે. એક નવું બોર્ડ બનાવવામાં આવશે જેમાં એસબીઆઈના ઓછામાં ઓછા 2 ડિરેક્ટર હશે, જે સૂચના બહાર પાડ્યાના 7 દિવસની અંદર ચાર્જ સંભાળશે.