વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે પહેલુ બજેટ રજૂ કરતા બજેટને સૂટકેસ અથવા તો બ્રીફકેસમાં લાગવવાની જગ્યાએ કપડાથી બનેલા ફોલ્ડરમાં લાવીને તમામનું ધ્યાન ખેંચ્યુ. શનિવારે વિત્ત મંત્રીએ ખુલાસો કરતા કહ્યુ કે, ''તેમની મામીએ આ લાલ કપડાનું ફોલ્ડર બનાવીને આપ્યુ છે.''
નિર્મલા સીતારમણે પોતાનું પહેલુ બજેટ રજૂ કર્યા પછી જ્યારે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા ત્યારે કહ્યુ કે, ''સુટકેસ-બ્રીફકેસ મને પસંદ નથી આવતુ. આ અંગ્રેજોના જમાનાથી ચાલ્યુ આવે છે. અમને પસંદ નથી. પછી મારી મામીએ મને લાલ કપડાનું ફોલ્ડર બનાવીને આપ્યુ. પૂજા-અર્ચના કર્યા પછી મને આ લાલ ફોલ્ડર આપ્યુ. આ ઘરની થેલી ના લાગે તે માટે સરકારી ઓળખાણ આપવા તેના પર અશોક સ્તંભનું ચિહ્ન લગાવવામાં આવ્યુ.''
નિર્મલા સીતારમણે કહ્યુ કે, ''ભારતના દરેક ક્ષેત્રની પોતાની પંરપરા છે. દિવાળીમા લક્ષ્મી પૂજન હોય કે પછી ઘર,દુકાનના નવા ખાતાવહીની શરૂઆત હોય, તેમાં લાલ કવર હોય છે. લાલ કપડામાં તેણે વીંટીને તેના પર કંકુ, ચોખા, ચંદન લગાવીને અથવા તો શુભ લાભ લખીને શરૂઆત કરવામાં આવે છે. મેં તે જ વિચારીને લાલ કવર લીધુ અને તેમાં બજેટ લઇ જવાની વાત કરી, પરંતુ મારા ઘરે કહ્યુ કે, આ પડી શકે છે. દસ્તાવેજ સંસદ લઇ જતા સમયે પડી ના જાય તે માટે મારા મામીએ લાલ કપડાંનું ફોલ્ડર બનાવીને મને આપ્યુ. આ તેમણે પોતાના હાથથી બનાવ્યુ છે.''
આ ફોલ્ડરનું નામ ખાતાવહી કોણે આપ્યુ તેના જવાબ પર વિત્ત મંત્રીએ કહ્યુ કે, ''આ નામ મેં નથી આપ્યુ, પરંતુ જનતામાંથી કોઇએ મને ભલામણ કરી હતી.'' પ્રધાનમંત્રી તરફથી આ ખાતાવહી પર પ્રતિક્રિયા વિશે પૂછવા પર સીતારમણે કહ્યુ કે, ''પ્રધાનમંત્રી તરફથી આ અંગે કોઇ પ્રતિક્રિયા આવી નથી.''