મંદીનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થાને ઝડપ આપવા માટે નાણા મંત્રાલય વધુ એક બૂસ્ટર ડોઝ આપવાની તૈયારી કરી રહ્યું છે. નાણા મંત્રાયલના એક અધિકારીએ કહ્યું કે સાડા છ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચેલ આર્થિક વિકાસ દરને ઉપર લાવવા માટે ઉપાયોનો ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. જેની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણ આવનાર કેટલાક દિવસોમાં કરશે.
વાહન, FMCG સહિત ઘણા ક્ષત્રોમાં રાહતની આશા
કેન્દ્ર સરકાર આર્થિક મંદીને દૂર કરવા માટે ત્રણ ચરણોમાં મોટા એલાન કરી ચૂકી છે
10 સાર્વજનિક બેન્કોનો વિલય કરીને ચાર મોટી સરકારી બેન્ક બનાવવાની જાહેરાત કરી
વાહન, FMCG સહિત ઘણા ક્ષત્રોમાં રાહતની આશા
સરકારે ગત સપ્તાહ નિકાસ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કેટલાક પગલા ઉઠાવ્યા હતા. આ સપ્તાહ નાણામંત્રીની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 37મી બેઠક યોજાશે. આ બેઠકમાં વાહન, એફએમસીજી અને હોટલ સહિત વિભિન્ન ક્ષેત્રો માટે જીએસટી દરોમાં સંશોધન પર ચર્ચા થવાની સંભાવના છે. આ પહેલા કેન્દ્ર સરકાર આર્થિક મંદીને દૂર કરવા માટે ત્રણ ચરણોમાં ઘણા મોટા એલાન કરી ચૂકી છે.
આ સપ્તાહની શરૂઆતમાં ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે ત્રણ ચરણોમાં ઘણા ઉપાયોની જાહેરાત કરી છે. અને એવું લાગે છે કે આગળ વધુ જાહેરાત પણ કરશે. એમણે કહ્યું કે, 'મને લાગે છે કે યોગ્ય ઉપાયોથી અર્થવ્યવસ્થામાં સુધાર આવશે.
એફપીઆઇને આપી રાહત
સરકારે પહેલા ચરણ (23 ઓગસ્ટ)માં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) અને ઘરેલૂ સંસ્થાગત રોકાણકારો પર લગાવામાં આવેલ ઉંચો સરચાર્જ પાછો લીધો છે. દેશમાં રોકાણ કરનાર 40 ટકા એફપીઆઇ ટ્રસ્ટ અથવા અસોસિએશન ઓફ પર્સન (એઓપી)ના રૂપે રજિસ્ટર્ડ છે. બજેટમાં નાણાંમંત્રીએ વાર્ષિક 2થી 5 કરોડની આવક પર ઇનકમ ટેક્સ ઉપરાંત સરચાર્જ 15 ટકાથી વધારી 25 ટકા અને 5 કરોડથી વધારે આવક પર 37 ટકા કરી દીધો હતો.
10 સરકારી બેન્કોનો વિલય
ત્યારબાદ બીજા ચરણ (30 ઓગસ્ટ)માં 10 સાર્વજનિક બેન્કોનો વિલય કરીને ચાર મોટી સરકારી બેન્ક બનાવવાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ 10 સરકારી બેન્કોના મહાવિલયની યોજનાનું એલાન કર્યું હતું. જે બાદ દેશમાં સરકારી બેન્કોની સંખ્યા વર્તમાન 27થી ઘટીને 12 રહી જશે. 6 નાની સરકારી બેન્કોનું ભારતીય સ્ટેટ બેન્કમાં અને વિજયા બેન્ક, દેના બેન્કનું બેન્ક ઓફ બરોડામાં પહેલા જ વિલય કરી દેવાયો છે. આ પ્રકારે, એસબીઆઇ અને બેન્ક ઓફ બરોડા વિલય બાદ 10 સરકારી બેન્ક ટોચની બે બેન્કોમાં બદલાઇ ગઇ છે.