બેન્કમાં કેશ ઉપાડવા અથવા તેને ઉપાડીને બીજી બેંક અથવા ખાતામાં જમા કરાવતા આ મહિનાથી હવે ટેક્સ કપાશે. આ રકમ એક કરોડ હોવી જરૂરી છે. તેની કઈ કઈ શરતો છે તે જાણો.
કેન્દ્રીય બજેટ ૨૦૧૯/૨૦૨૦માં જો કોઈ બેંક પાસેથી એક કરોડ કે તેથી વધુ રકમ ઉપાડવા અથવા તેને ઉપાડીને બીજી બેંક અથવા ખાતામાં જમા કરાવવા માટે ટીડીએસ અથવા ટેક્સ લગાવવાની યોજના તૈયાર કરી હતી જે આ મહીનાથી અર્થાત સપ્ટેમ્બરથી લાગુ પડવાની શરુ થઇ ચુકી છે.
શું છે પ્રસ્તાવ?
આ પ્રસ્તાવ હેઠળ કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા બેંક પાસેથી એક કરોડ કે તેથી વધુ રકમ ઉપાડશે તો તેની પર ૨% ટેક્સ લાગશે. આ પ્રસ્તાવ આયકર અધિનિયમની ધારા ૧૯૪એન હેઠળ શરુ કરવામાં આવ્યો છે.
શું કારણ છે આ પ્રસ્તાવ પાછળનું?
ટેક્સ વિશેષજ્ઞ નવીન વાધવાએ જણાવ્યું હતું કે આ નિર્ણય પાછળનું મોટુ કારણ દેશને કેશલેસ ઈકોનોમી તરફ વાળવાનું છે. દેશમાં રોકડા રૂપિયાનું ચલણ ઓછું કરીને કાળું નાણું રોકવું સરકારની પહેલી પ્રાથમિકતા છે.
શું છે શરતો?
વાધવાએ જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ દર અઠવાડિયે ૪ લાખ રૂપિયા ઉપાડે છે તો ૧૦ મહિનામાં તે ૧ કરોડની લીમીટ પાર કરી દેશે જે સંજોગોમાં તેણે ૨% ટેક્સ ભરવો પડશે જે સરકારને જમા થશે. આ ટીડીએસ બેંકો દ્વારા કાપવામાં આવશે. જો કે અહી નોંધવાલાયક છે કે આ ટેક્સ એક જ વારમાં ઉપાડી લેવામાં આવેલી રકમ પર નહિ પરંતુ કુલ રકમનાં આંકડાને ધ્યાનમાં રાખીને લાગુ પાડવામાં આવશે.
ક્યારે હશે અપવાદનો કેસ?
ફાઈનાન્સ બીલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો બેંક કે પોસ્ટ ઓફીસથી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, બેંક, સહકારી બેંક, પોસ્ટ ઓફીસ, વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટર્સ અથવા આરબીઆઈ સાથે ચર્ચા વિચારણા પછી સરકાર દ્વારા અનુચિત વ્યક્તિ જો આટલી રકમ ઉપાડે તો આ ટેક્સ લાગુ નહિ પડે.