મહારાષ્ટ્રમાં હવે કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ હોવાનું પાક્કુ અનુમાન છે. આજે નોંધાયેલા કોરોનાના 8,067 કેસ ત્રીજી લહેરનો સ્પસ્ટ સંકેત છે, રાજ્યમાં ઓમિક્રોનના ચાર કેસ નોઁધાયા છે. રાજ્ય આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર ગુરુવારની તુલનામાં શુક્રવારે લગભગ 2700થી વધારે કેસ સામે આવ્યાં છે.
એકલા મુંબઈમાં કોરોનાના આજે આવ્યાં 5631 કેસ
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આજે કોરોનાના 5631 કેસ આવ્યાં છે રેકોર્ડબ્રેક છે.
રાજ્યમાં કોરોના વાયરસના ચેપના કેસોમાં વધારો થવાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે જાહેર અથવા પ્રાઈવેટ સ્થળોએ એકઠા થતા લોકોની સંખ્યા ઘટાડીને 50 કરી દીધી છે. અગાઉ 100 વ્યક્તિઓને સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને ધાર્મિક મેળાવડાઓમાં લગ્ન સમારંભ અથવા ખાનગી સ્થળોએ અને જાહેર જગ્યાઓ પર 250 વ્યક્તિઓને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી.
ત્રીજી લહેરનું પાક્કુ અનુમાન
મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. કારણ કે એક દિવસમાં 8000થી વધુ કેસ આવવા સ્પસ્ટ સંકેત છે હવે આગામી દિવસોમાં લોકડાઉન જેવા કડક પ્રતિબંધો આવી શકે છે.
મુંબઈ પોલીસ દ્વારા કોરોનાને લઈને નવી ગાઈડલાઈન બહાર પડાઈ
હાલના દિવસોમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણનો ગ્રાફ ફરી ઊંચો જઈ રહ્યો છે. મુંબઈની સ્થિતિ પણ ચિંતાજનક છે. આવી સ્થિતિમાં, વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને, મુંબઈ પોલીસે શુક્રવારે લોકો માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે. આ અંતર્ગત નવા વર્ષ પહેલા મુંબઈમાં કલમ 144 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. તેમજ સાંજના 5 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી દરિયાકિનારા, ખુલ્લા મેદાનો, દરિયા કિનારાના વિસ્તારો, બગીચાઓ, ઉદ્યાનો અને અન્ય જાહેર સ્થળોએ લોકોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.આ નિયમ દરરોજ લાગુ થશે.