રાજકોટઃ જસદણ પેટાચૂંટણી માટે અંતે કોંગ્રેસના ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા છે. કોંગ્રેસ તરફથી અવસર નાકિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસે અવસર નાકીયાને મેન્ડેટ આપ્યું છે. દિલ્હીથી આજે મોડી સાંજે ઔપચારિક જાહેરાત કરવામાં આવી શકે છે. પાર્ટી હાઇકમાન્ડ દ્વારા અવસર નાકીયાના નામની જાહેરાત કરવામાં આવી છે.
અવસર નાકીયા આવતીકાલે ઉમેદાવારી પત્ર ભરશે. ઉમેદવારની પસંદગીને લઇને કોંગ્રેસમાં ચાલી રહેલ ગડમથનો અંત આવ્યો છે. મહત્વનું છે કે વીટીવી દ્વારા કોંગ્રેસના ઉમેદવારની પહેલા જ શક્યતા દર્શાવાય હતી.
PAAS ટિકિટ પણ અપાવે?
પાટીદાર અનામત આંદોલન સમિતિ અને કોંગ્રેસની મૈત્રી જસદણમાં સામે આવી છે. સૂત્રો મુજબ જસદણ પેટાચૂંટણી માટે કોંગ્રેસે જે ઉમેદવારનું નામ નક્કી કરવામાં આવ્યું છે તેમાં PAASની ભૂમિકા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. કોળી અને પાટીદારનું સમીકરણ સાચવવા કોંગ્રેસની મથામણ. કોંગ્રેસના બે ધારાસભ્ય કગથરા અને વસોયાએ નાકિયાને ઉમેદવાર બનાવવામાં મહત્વની ભૂમિકા છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન જસદણ તાલુકો વધુ પ્રભાવિત હતો.
કોંગ્રેસમાંથી અત્યાર સુધી 10 દાવેદારોએ ફોર્મ ઉઠાવ્યા હતા
મહત્વનું છે કે રાજકોટમાં જસદણની પેટા ચૂંટણીમાં ફોર્મ ભરવાની આવતીકાલે છેલ્લી તારીખ છે. ત્યારે કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીને લઈને મુજવણ હતી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા કોંગ્રસમાં બળવાનો પ્રયાસ ટાળવા હાલ પ્રયાસો કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં 10 દાવેદારોએ ફોર્મ ઉઠાવ્યા હતા. જોકે કોંગ્રેસે જસદણ પેટાચૂંટણી માટે અવસર નાકીયાને ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા છે.