DKએ કહ્યું ટાટા બાય બાય
નોંધનીય છે કે આજે BCCIનાં અધિકારીઓ દ્વારા મોટી બેઠક કરવામાં આવી હતી જે બાદ નિર્ણય જાહેર કરવામાં આવ્યો કે આજે મેચ રમવામાં આવશે નહીં અને તે રદ્દ કરવામાં આવે છે. ક્રિકેટર દિનેશ કાર્તિકે ટ્વિટ કેને કહ્યું કે આજે કોઈ જ મેચ નહીં થાય. તેમણે કહ્યું કે નો પ્લે ટુડે, ઓકે, ટાટા, બાય.
કોચ શાસ્ત્રીને થયો કોરોના
નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાનાં કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફનાં ત્રણ સદસ્ય ચોથી ટેસ્ટ મેચ દરમિયાન જ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે અને ફિઝિયો વિભાગમાંથી પણ એક કોરોના કેસ સામે આવ્યો હતો એવામાં કોરોના વાયરસનાં ખતરાને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોના વાયરસનાં કારણે લેવાયો નિર્ણય
ECB એ કહ્યું કે, "ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે ચાલી રહેલી વાતચીત બાદ, માન્ચેસ્ટરમાં ટેસ્ટ મેચ રદ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના ખતરાને કારણે ભારતીય ખેલાડીઓ ડરી ગયા હતા અને ભારત પાસે મેચ રમવા માટે પ્લેઇંગ 11 નહોતું, તેથી મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે મેચ રદ્દ કરવા બદલ ચાહકોની માફી માંગી અને બોર્ડે કહ્યું, "અમે અમારા ક્રિકેટ ચાહકો, સમાચાર ભાગીદારોની માફી માંગીએ છીએ. અમે તમને અસુવિધા પહોંચાડી છે.