દેશના પહેલા CDS જનરલ બિપિન રાવત હવે યાદોમાં અમર રહેશે, દિલ્હીમાં આજે આર્મી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
પંચતત્વમાં વિલીન થયા CDS જનરલ રાવત
યાદોમાં હંમેશા અમર રહેશે મા ભારતીનો વીર સપૂત
દીકરીઓએ કરી અંતિમ ક્રિયા
800 જવાનો અને 17 તોપોની સલામી સાથે વિદાય
17 તોપો અને 800 જવાનોની સલામી
દેશ માટે 43 વર્ષ ખપાવી દેનાર આ મહાન સૈનિકનાં સન્માનમાં તેમના અંતિમ સંસ્કારમાં 17 તોપોની સલામી આપવામાં આવી હતી. અંતિમ સંસ્કારમાં 800 જવાનો હાજર રહ્યા હતા અને સલામી આપી હતી.
જનરલ રાવતને 17 તોપોની સલામી આપવામાં આવી
અંતિમ સંસ્કાર સમયે ત્રણેય સેનાઓના જવાનોએ ટ્રમ્પેટર્સ વગાડ્યા
Delhi: Daughters of #CDSGeneralBipinRawat and Madhulika Rawat - Kritika and Tarini - pay tribute to their parents. Other members of the family also join them in paying last respects. pic.twitter.com/Wc88k8oZaF
લોકો તીરંગા લઈને રસ્તા પર દોડ્યા
જ્યારે CDS રાવતની અંતિમ યાત્રા શરૂ થઈ ત્યારે દિલ્હીમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આખી અંતિમ યાત્રામાં હજારો યુવાનો પોતાના હાથોમાં તીરંગાઓ લઈને દોડતા રહ્યા. CDS બિપિન રાવતની અંતિમયાત્રામાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. લોકો ત્રિરંગા સાથે દોડતા નજરે ચડયા હતા. આ ઉપરાંત કેટલાક લોકોએ અંતિમયાત્રામાં નારા લગાવ્યા, 'જબ તક સૂરજ ચાંદ રહેગા બિપિનજીકા નામ રહેગા' આખા દેશના લોકોએ દેશના વિરોને અંતિમ અંજલિ આપી હતી. આજે આખો આજે ભાવુક થઈ ગયો હતો.
પાલમ એરપોર્ટ પર હૃદયદ્રાવક દ્રશ્ય સર્જાયા
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે પાલમ એરપોર્ટ પર હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. એરપોર્ટના એક હેંગરમાં 13 શબપેટીઓ રાખવામાં આવી હતી અને આ દરમિયાન પરિવારના સભ્યો પણ હાજર હતા. ભારતીય વાયુસેનાના C-130J એરક્રાફ્ટ દ્વારા સુલુર એરબેઝથી મૃતદેહોને દિલ્હી લાવવામાં આવ્યા હતા. વિમાન લગભગ 7.35 વાગ્યે પાલમ ટેકનિકલ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. આ પહેલા તમિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટના બાદ સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો હતો. ગુરુવારે પાલમ એરપોર્ટ પર સશસ્ત્ર દળોના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપનારાઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સામેલ હતા. ભારતીય સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે, ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમાર, એર ચીફ માર્શલ એવીઆર ચૌધરી અને સંરક્ષણ સચિવ અજય કુમાર સહિત દેશના ટોચના સૈન્ય અધિકારીઓએ પણ શોક સમારંભમાં અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.