બોલીવુડના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચન આગામી તા. 25 અને 26 ના રોજ સોરઠના મહેમાન બની શકે છે.
અમિતાભ બચ્ચન સોરઠના બનશે મહેમાન
25-26 ઓગસ્ટે અમિતાભ બચ્ચન આવી શકે છે સોરઠ
શેરનાથ બાપુ સાથે પણ અમિતાભ બચ્ચન મુલાકાત કરશે
ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન સોરઠના મહેમાન થાય તે અંગેનો કાર્યક્રમ ગોઠવાયો છે. અમિતાભ બચ્ચન આગામી ૨૫, ૨૬ ઓગસ્ટના રોજ સોરઠના જૂનાગઢ અને ગીર સોમનાથની મુલાકાતે આવશે જ્યાં જૂનાગઢમાં ગૌરક્ષનાથ આશ્રમ સહીતના સ્થળોની મુલાકાત લઈ સોરઠની મહેમાનગતિ માણશે.
ભગવાન સોમનાથના દર્શને પણ પહોચે તેવી શક્યતા
અમિતાભ બચ્ચનના સંભવિત કાર્યક્રમ અંગે જાણવા મળતી વિગત અનુસાર આગામી તા. ૨૫ ઓગસ્ટના રોજ અમિતાભ બચ્ચન સોમનાથ મંદિરમાં દાદા સોમનાથના દર્શન પૂજન અર્ચન કરશે. ત્યારબાદ તારીખ ૨૬ ઓગસ્ટના રોજ જૂનાગઢના ભવનાથ તળેટી ખાતે આવેલ ખ્યાતનામ શેરનાથ બાપુના ગોરક્ષનાથ આશ્રમની મૂલકાત લેશે. મહત્વનું છે કે, અમિતાભ બચ્ચનના આગામનને પગલે તત્રં અને આશ્રમ દ્રારા તડામાર તૈયારીઑ ચાલી રહી છે.
જૂનાગઢમાં ગૌરક્ષનાથ આશ્રમની કરશે મુલાકાત
ઉલ્લેખનીય છે કે, શેરનાથ બાપુના આશ્રમની મુલાકાત બાદ ભવનાથ તળેટી ખાતેના સુપ્રસિદ્ધ ભવનાથ મંદિરમાં પણ પૂજન અર્ચનનો લાભ લેશે. એટલું જ નહિ અમિતાભ બચ્ચન એશિયાના સૌથી ઊંચા ગિરનાર રોપવેની સફરની મોજ માણે તેવી શક્યતાઑ પણ વર્તાઇ રહી છે. મહત્વનું છે કે, અગાઉ પણ અમિતાભ બચ્ચન જુનાગઢની મુલાકાત અને મહેમાનગતી માણી ચૂક્યા છે. જેમાં ખુશ્બુ ગુજરાત કી અંતર્ગત અમિતાભ બચ્ચન શૂટિંગ અર્થે આવ્યા હતા.