ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મમેકર્સ માટે બાયોપિક્સ તેમના ફેવરિટ ટૉપિક બનતો જઇ રહ્યો છે. બોક્સ ઑફિસ પર આ જૉનર સારી કમાણી કરી રહ્યુ છે. સૂત્રોનુસાર ટૂંક સમયમાં જયલલિતા પર બનવા જઇ રહેલી ફિલ્મ પર કામ શરૂ થવાનું છે. આ સાથે ચર્ચા પણ શરૂ થઇ ગઇ છે કે ફિલ્મમાં તેમનું કેરેક્ટર કઇ એક્ટ્રેસ પ્લે કરશે. હાલમાં અમ્માના રોલ માટે ઐશ્વર્યા રાય બચ્ચન અને અનુષ્કા શેટ્ટીનું નામ સામે આવી રહ્યુ છે.
તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નિધન પછી ઘણા નિર્માતાઓ એક્ટ્રેસથી રાજનેતા બનેલી આ વ્યક્તિની જિંદગીને સિલ્વર સ્ક્રિન પર બતાવવાની ઇચ્છા વ્યકત કરી ચૂક્યા છે. પહેલા ચર્ચા હતી કે ફિલ્મમેકર્સ વિજય અને પ્રિયદર્શિનીએ માઇસ્કિનના સહયોગની સાથે અમ્માની બાયોપિક પર ફિલ્મ બનાવવા માટેની જાહેરાત કરી છે. પરંતુ હવે ચર્ચા છે કે નિર્માતા આદિત્ય ભારદ્વાજે નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ નિર્માતા પી ભારથિરાજાને જયલલિતાની બાયોપિકનું ડિરેક્શન માટે સાઇન કરી દીધા છે.
એક રિપોર્ટ અનુસાર નિર્માતા આદિત્ય ભારદ્વાજની આ ફિલ્મનુ નામ 'AMMA: પુરાચી થાલાયવી' છે. ફિલ્મમાં જયલલિતાના કેરેક્ટરમાં કોણ જોવા મળશે તેને લઇને બધા ઉત્સુક છે. આ વિશે એક ઇન્ટવ્યૂ આદિત્ય ભારદ્વાજે કહ્યુ કે ''જયલલિતાના રોલ તેમણે ઐશ્વર્યા રાય બચ્ચન અને બાહુબલી ફેમ અનુષ્કા શેટ્ટીને ઑફર કર્યો હતો. આ બંનેમાંથી કોઇ પણ એક્ટ્રેસને ફિલ્મની લીડ એક્ટ્રેસ માટે ફાઇનલ કરવામાં આવી શકે છે. આ સિવાય ફિલ્મમાં એમજીઆરના કેરેક્ટરમાં કમલ હસન અને એક્ટર મોહનલાલને પણ એપ્રોચ કરવામાં આવ્યો છે.''
આ સિવાય રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શન શરૂ થઇ ગયું છે અને ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થઇ શકે છે.