ગુજરાતના અક્ષરધામ મંદિર પર વર્ષો પહેલાં એટલે કે 24 સપ્ટેમ્બર 2020ના રોજ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ આતંકવાદની ઘટના પર હવે ફિલ્મ બનાવવાની તૈયારી ચાલી રહી છે. સીરિઝ 'સ્ટેટ ઓફસીઝઃ 26/11'ના નિર્માતાઓએ ગુરુવારે ફિલ્મ 'સ્ટેટ ઓફ સીઝઃ અક્ષરધામ' બનાવવાની જાહેરાત કરી છે.
ગુજરાતના આ આતંકવાદી હુમલા પર બનશે વેબસીરિઝ
ગુરુવારે નિર્માતાઓએ કરી જાહેરાત
અક્ષરધામ મંદિર પરના આતંકવાદી હુમલાને લઈને બનશે ફિલ્મ
ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર 18 વર્ષ પહેલાં 24 સપ્ટેમ્બર 2020ના રોજ આંતકીઓએ હુમલો કર્યો હતો. તેમાં 30થી વધારે લોકોના મોત થયા હતા અને 80થી વધુ લોકો ઘાયલ થયા હતા.
આ પહેલાં પણ અનેક આવા હુમલા અને ઘટનાઓ બની છે અને તેની પર પણ ફિલ્મો બની ચૂકી છે. દર્શકો હવે આ ફિલ્મની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે ફિલ્મના રિલિઝ થવા અંગે કે તેના સ્ટાર કાસ્ટને લીને કોઈ જાણકારી સામે આવી નથી.