રાજ્યસભામાં તેલંગણાની ખાલી સીટ પર યોજાશે પેટાચૂંટણી, 19મેના રોજ ઉમેદવારી દાખલ કરવાનો છેલ્લો દિવસ. 30મેના રોજ છે પેટાચૂંટણી
રાજ્યસભાના સદસ્યની દોડમાં અભિનેતા
પ્રકાશ રાજ-કેસીઆર વચ્ચે બેઠકોનો દોર
સુબ્રમણ્યન સ્વામીનું નામ પણ ચર્ચામાં
ચૂંટણી પંચે તેલંગણામાં સંસદનું ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા માટે તેલંગણાની એક સીટ પર પેટાચૂંટણીની માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું. જેમાં આ સીટ મેળવવા માટેની રેસ શરુ થઇ ગઇ છે. જેમાં ભાજપના નેતા સુબ્રમણ્યન સ્વામીનું નામ ચર્ચામાં છે. તો બીજી તરફ નામચીન ફિલ્મ કલાકાર પ્રકાશ રાજ પણ ઉમેદવારીની દોડમાં સામેલ થઇ ગયા છે. જે માટે તેઓ તેલંગાણાના મુખ્યમંત્રી સાથે સતત બેઠકો કરી રહ્યા છે.
પ્રકાશ રાજ અને TRS વચ્ચે બેઠકોનો ધમધમાટ
તમને જણાવી દઈએ કે વિધાનસભામાં પકડને જોતા તેલંગાણામાં રાજ્યસભા સીટ પર TRSની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. ફિલ્મ કલાકાર પ્રકાશ રાજ અને ટીઆરએસ પ્રમુખ અને મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. તાજેતરમાં તેઓ મુખ્યમંત્રીને મળવા એરાવલ્લી સ્થિત ફાર્મહાઉસ પહોંચ્યા હતા. આ પછી, ઉપલા ગૃહમાં તેમના નામાંકનને લઈને અટકળો તેજ થઈ ગઈ છે.
સુબ્રમણ્યન સ્વામીના નામ પર પણ ચર્ચા
આ પહેલા પણ ફેબ્રુઆરીમાં પ્રકાશ રાજ ચંદ્રશેખર રાવને મળ્યા હતા. જ્યારે તેલંગણાના રાજ્યસભાના સભ્ય તરીકે પૂર્વ રાજ્યસભાના સભ્ય અને ભાજપના નેતા સુબ્રમણ્યન સ્વામીના નામ પર પણ ચર્ચાએ જોર પકડ્યું છે. વિધાનસભામાં સત્તારુઢ પાર્ટી ટીઆરએસની મજબૂત પકડ જોતા ત્રણેય સીટો પર બિનહરીફ જીતવાની ખાતરી છે.
19મે છે નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ
તેલંગાણામાંથી રાજ્યસભા માટે 7 બેઠકો છે, આ તમામ બેઠકો TRSના કબજામાં છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફેકેશન મુજબ નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 19 મે છે. એક સીટ પર પેટાચૂંટણી એટલા માટે થઇ રહ્યા છે કારણ કે રાજ્યસભા સાંસદ બંદા પ્રકાશએ આ સીટ ખાલી કરી દીધી છે. જેથી ચૂંટણી 30મેના રોજ યોજાનાર છે.