ગાંધીનગરમાં ઢબુડી મા તરીકે ઓળખાતા ધનજી ઓડ ફરી વિવાદમાં, રાંધેજાના ખેડૂતે ઢબુડી માતા, પત્ની અને તેના દીકરા સહિત 4 સામે ફરિયાદ
ધનજી ઓડ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
જમીન પચાવી પાડી ઓરડી સહિતના બાંધકામ કરી દીધા
પેથાપુર પોલીસમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ
ગાંધીનગર રૂપાલ ગામના ઢબુડીમા ફરી વિવાદમાં સપડાયા છે. ધનજી ઓડ તેની પત્ની, પુત્ર સહિત 4 લોકો સામે લેન્ડ ગ્રેબિગ એક્ટ હેઠળ જમીન પચાવી પાડવાની ફરિયાદ નોંધાઇ છે.
પેથાપુર પોલિસી સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંન એક્ટ હેઠળ જમીન પચાવીને પતરાની ઓરડી અને માતાજીનું મંદિર બનાવી દેતા ખેડૂતે ફરિયાદ કરી છે.આશરે 3 વર્ષ પહેલા ઢબુઢી મા ઉર્ફે ધનજી ઓડ વિવાદમાં આવ્યા હતા.
એક ઓરડી અને માતાજીનું મંદિર ગેરકાયદેસર બનાવ્યું
સરગાસણના મિલન વિષ્ણુભાઇ પટેલ સેક્ટર 28 GIDCમાં કાર રીપેરીંગનુ ગેરેજ ચલાવે છે. તેમની રાંધેજા ગામની સીમમા આવેલા સર્વે નંબર 1934, 1935 અને 1936 જેમા 1935 નંબરનો સર્વે નંબર ધનજી નારણ ઓડ એટલે કે ઢબુડી મા (હાલનું રહેઠાણ ચાંદખેડા) દ્વારા ખરીદી કરવામાં આવી છે. પરંતુ આ સિવાય અન્ય બે સર્વે નંબર 1934 અને 1936 સર્વે નંબર પણ તેની બાજુમા જ આવેલા છે.તેની ઉપર નજી ઓડ ઉર્ફે ઢબુડી મા, તેની પત્નિ, પુત્ર, સુરેશ પટેલ દ્વારા ગેરકાયદેસર એક ઓરડી અને માતાજીનું મંદિર બનાવી જમીન પચાવી પાડવામાં આવી છે. જે કારણે ખેડૂતે કરેલી ફરિયાદમાં હવે કાર્યવાહી કરવામાં આવતા ધનજી ઓડ અને તેના પરિવાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જમીનમાં રજીસ્ટર વગર બાના ખત કર્યો: રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર
આર.ડી.સિંહ,રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર,ગાંધીનગરનું કહેવું છે કે આ જમીનમાં રજીસ્ટર વગર બાના ખત કરવામાં આવ્યો છે. ધનજી ઓડ નામના શખ્સને આ જમીન મંદિરના બાંધકામ કરવા માટે આપેલ છે. ખરેખર અરજદારની વેચાણ રરાખેલી જમીન પર લેન્ડ ગ્રેબિગ કરવામાં આવ્યું છે. જેથી કમિટી દ્વારા લેન્ડ ગ્રેબિંન એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની તમામ સૂચનાઓ પોલીસ અધિક્ષકની કચેરીને આપી દેવામાં આવી છે.
કોણ છે આ અંધશ્રદ્ધા ફેલાવતી ઢબુડી માઁ ?
ગાંધીનગરના રૂપાલ ગામનો ધનજી ઓડ નામનો પુરૂષ ચૂંદડી ઓઢી ઢબુડી મા બન્યો છે. જેના હજારોની સંખ્યામાં ફોલોઅર્સ છે. ધનજી ઓડનો દાવો છે કે તેના પર જોગણી માતાની કૃપા થઈ છે. ભક્તો તેને રૂપાલની જોગણી માતાના નામે ઓળખે છે. ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ માથા પર ચૂંદડી ઓઢી ધૂણે છે. રૂપાલ સહિત રાજ્ય ભરના અનેક ગામોમાં તથા મુંબઈમાં અનેક કાર્યક્રમો કરી ચૂકી છે.અંધશ્રદ્ધા ફેલાવી લોકોને ધૂતવામાંહોવાના આરોપ અનેક વખત લાગી ચૂક્યા છે.