અંજીરનું સેવન પેટ સંબંધી તકલીફોમાં ખૂબ જ ફાયદાકારક છે, સાથે જ તે ખીલને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે.
અજીર હાડકાને મજબૂત બનાવે છે
ચહેરાની સુંદરતા વધારે છે
અંજીર શરીરને કરે છે ડિટોક્સ
અંજીર ખૂબ જ સ્વાદિષ્ટ અને પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે એટલે જ સ્વાસ્થ્ય માટે પણ તે લાભદાયી છે. તેના સેવનથી પાચનને લગતી તકલીફો દૂર થાય છે, સાથે જ અન્ય બીમારીઓને દૂર રાખવામાં પણ તે સહાયક છે. અંજીર લોહીમાં શુગરનું પ્રમાણ સંતુલિત રાખે છે. આયુર્વેદમાં ખાસ સ્થાન ધરાવતું અંજીર પોટેશિયમ, મિનરલ અને વિટામિનથી ભરપૂર હોય છે. તે ફક્ત તમારા સ્વાસ્થ્ય માટે જ નહીં, ત્વચા માટે પણ એટલું જ ગુણકારી છે. લાલ અંજીર દૂધ સાથે ખાવામાં આવે તો ડાયાબિટીસમાં લાભ કરે છે.
હાડકાંને બનાવશે મજબૂત
અંજીર ઘણી રીતે શરીરને ફાયદો કરે છે, તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે અને તેની નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે.
ખીલથી ચહેરાને બચાવે છે
જો તમને ચહેરા પર ખીલ થઈ જતા હોય તો અંજીર તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે અંજીરના નાના નાના પીસ કરીને તેની પેસ્ટ બનાવી લો અને તેને તમારા ચહેરા પર લગાવો. આ પેસ્ટ ૨૦ મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો અને પછી પાણીથી ધોઈ નાખો. આ ઉપરાંત અંજીરનાં પાંદડાંને પીસી તેની પેસ્ટ બનાવી લો અને તેને ચહેરા પર લગાવો, જે એક સારું એિન્ટ એજિંગ છે.
ઝેરીલાં તત્ત્વોને કરે છે બહાર
અંજીરના સેવનથી પેટની સમસ્યામાં આરામ મળે છે. શરીરમાં જે કંઈ પણ ઝેરી તત્ત્વો હોય તેને તે શરીરમાંથી બહાર ફેંકી દે છે.
કબજિયાતની સમસ્યાથી મુક્તિ અપાવે
જો તમને સતત કબજિયાતની તકલીફ રહેતી હોય તો અંજીર તમારા માટે ફાયદાકારક છે, આના માટે નિયમિત બે-ત્રણ અંજીર મધ સાથે ખાઓ. તેનાથી કબજિયાત અને ગેસની તકલીફથી કાયમી છુટકારો મળશે અને તમારું પાચનતંત્ર પણ મજબૂત બનશે.